દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

ગુરવારે સવારે  9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા.

ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ભયભીત લોકો મકાનો બહાર દોડી આવ્યા

દિલ્હી સહિત નોઇડા અને ગાઝિયાબાદમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. ગઈકાલથી દિલ્હી-NCR વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં હવે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ વધુ ઘનાઈ ગયો છે.

ભૂકંપની તીવ્રતા 4.4, કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં

જિયોલોજિકલ માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જર જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 નોંધાઈ છે. દિલ્હી સુધી આંચકા મહેસૂસ થયાં હતાં. એનડીઆરએફ અને અન્ય તંત્રોને સજ્જ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.