કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
રાહુલે લખ્યું, “ચીની વિદેશ મંત્રી આવશે અને મોદીજીને ચીન-ભારત સંબંધોની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરશે! Meanwhile, આપણા વિદેશ મંત્રી ભારતની વિદેશ નીતિને બરબાદ કરવાના હેતુથી એક સંપૂર્ણ સર્કસ ચલાવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે જયશંકરે શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી શુભેચ્છા પાઠવી હતી. રાહુલનો આ તિખો પ્રહાર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સંબંધોની સ્થિતિ અને સરકારના વલણ પર સવાલ ઉભા કરે છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ચીનની મુલાકાત પર છે, જ્યાં તેઓ શંધાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં તેમણે આપણે દ્વિપક્ષીય સંબંધોની હાલની પરિસ્થિતિથી માહિતગાર કર્યા. તેમણે આપના નેતૃત્વને મહત્ત્વ આપ્યું છે.”
જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે પણ બેઠક કરી હતી, જેમાં દ્રષ્ટિવાન, સ્થિર અને રચનાત્મક સંબંધોનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply