સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

જામીન અરજીનો અધિકાર નહીં મળે

આદેશ અનુસાર, તમામ ત્રણ આરોપીઓને સજા દરમિયાન જામીન માટે અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. એટલે કે, સજા પૂરી થયા બાદ જ તેઓ જામીન માટે અરજી કરી શકશે.

ઘટના અને પૃષ્ઠભૂમિ

2025ની 3 માર્ચે, રાન્યા રાવ દુબઈથી અમીરાત એરલાઈન્સની ફ્લાઇટ મારફતે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકે આવી રહી હતી ત્યારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ 14.8 કિલોગ્રામ સોનાની સાથે તેમની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રાવે સોનાનું મોટું માત્રામાં ઘરેણાં સ્વરૂપે ધારણ કરેલું હતું અને થોડું સોનું કપડાંમાં છુપાવેલ હતું.

અભિનેત્રી રાન્યા રાવના સાવકા પિતા રામચંદ્ર રાવ, એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી તરીકે કાર્યરત છે. DRIના દાવા અનુસાર, ધરપકડ સમયે રાવે પોતાની ઓળખ એક આઈપીએસ અધિકારીની પુત્રી તરીકે આપી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને પોતાને ઘેર છોડવા માટે કહ્યુ હતું.

ફિલ્મી પૃષ્ઠભૂમિ

રાન્યા રાવ કન્નડ ફિલ્મ ‘માણિક્ય’માં સુપરસ્ટાર સુદીપ સાથેની ભૂમિકા માટે જાણીતી છે. તેમજ તેમણે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ નોંધપાત્ર કામગિરી આપી છે.

Leave a Reply

Your email address will not be published.