ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર આજે શનિવારે (19 જુલાઈ) કાવડ યાત્રા પર ગયેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ ખરીદી રહ્યો હતો. આ દરમિયાન તેનો કેટલાક કાવડ યાત્રીઓ સાથે ઝઘડો થયો હતો. પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું? પ્રત્યક્ષદર્શીનું કહેવું...
Day: July 19, 2025
ઓબામા સામે તુલસી ગેબાર્ડનો આક્ષેપ: ટ્રમ્પને સત્તાથી હટાવવાનું ષડયંત્ર રચાયું હતું!
અમેરિકન ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર મોટો આરોપ મૂક્યો છે. તુલસીના કહેવા મુજબ ઓબામા અને તેમના ટોચના અધિકારીઓએ 2016ની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. ગેબાર્ડે કહ્યું કે ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો પ્રયાસ અમેરિકન લોકશાહીની અંદર ખતરનાક ષડયંત્ર હતું. તુલસીએ જણાવ્યું કે ઓબામાના આ પ્રયાસો અમેરિકન નાગરિકોની ઇચ્છાને દબાવવા...
પત્નીનો ખૌફનાક પ્લાન: પતિને ઊંઘની ગોળી આપી, પછી દિયર સાથે મળીને ઈલેક્ટ્રિક શૉક આપી હત્યા કરી
કરણ દેવ નામના યુવકની શંકાસ્પદ મોતની તપાસ દરમિયાન Delhi Police સામે એક એવી સચ્ચાઈ આવી કે ચોંકી જવાની બારી આવે. કરણની પત્ની અને તેના પિતરાઈ ભાઈ, જે દિયરમાં આવે છે, બંનેએ મળીને પતિની હત્યા કરી. પહેલા ઊંઘની 15 ગોળીઓ ભોજનમાં આપી, ત્યારબાદ પણ જ્યારે તે મર્યો નહીં, તો ઈલેક્ટ્રિક શૉક આપી દેવામાં આવ્યો. સમગ્ર કાવતરું...
‘5 ફાઈટર વિમાનોનું સત્ય શું છે?’ રાહુલ ગાંધીનો મોદીને સવાલ, ટ્રમ્પના દાવા પર માગ્યો જવાબ
તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા. ઓપરેશન સિંદૂર પછી સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયગાળામાં, ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ...
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો
ભારતની ગુપ્તચર એજન્સીઓને મોટો ખુલાસો મળ્યો છે. દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અંગે મળેલી તાજી માહિતી પ્રમાણે તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિમી દૂર હોવાનું કહેવાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પાકિસ્તાનના દાવા પર...
હિમાચલ પ્રદેશમાં બે ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હાટી સમુદાયની પરંપરા દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં એક અનોખા લગ્ન સમારોહે દેશભરમાં ચર્ચા જગાવી છે. અહીંના પ્રદીપ નેગી અને કપિલ નેગી નામના બે સગા ભાઈઓએ નજીકના કુનહાટ ગામની યુવતી સુનિતા ચૌહાણ સાથે એકસાથે લગ્ન કર્યા છે. આ લગ્ન હાટી સમુદાયની પુરૂષ સહપત્ની પ્રથા (Fraternal Polyandry) પર આધારિત છે, જ્યાં એકથી વધુ ભાઈઓ એક જ પત્ની સાથે...
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની બ્રેકઅપની ચર્ચાઓ, એક વર્ષ સુધી રહેલા રિલેશન પર પ્રશ્નાર્થ
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી તેમનું નામ બ્રિટિશ મોડેલ અને સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું હતું. સોશિયસલ મીડિયા પર બંનેના સંબંધોની ચર્ચા વચ્ચે હવે તેમનું બ્રેકઅપ થયું હોવાની અફવાઓ વેગ પકડતી થઈ છે. સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા એક રેડિટ યુઝરે જાણકારી આપી...
મોહમ્મદ શમીને બંગાળની સંભવિત ટીમમાં સ્થાન, IPL પછી પ્રથમવાર પસંદગી
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બંગાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા 2025-26ની ઘરેલુ સિઝન માટે 50 સભ્યોની સંભવિત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPL 2025 બાદ શમી પહેલીવાર કોઈ ઓફિશિયલ ટીમમાં પસંદ થયા છે, જેનાથી તેમની ક્રિકેટમાં વાપસીની શક્યતાઓ વધારે છે. ઈજાના કારણે ટીમથી બહાર થયા હતા 34 વર્ષીય શમી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય...
વિદેશી મીડિયા સામે પાયલટ સંગઠનની કાયદાકીય કાર્યવાહી: AI-171 અકસ્માતના કવરેજ પર વિવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે ભારતીય પાયલટ સંગઠન ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)એ ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી છે. FIPનું કહેવું છે કે, વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના અકસ્માતને પાયાવિહોણા દાવાઓથી ઝાંકી આપીને પાયલટ્સનું અપમાન કર્યું છે. તેમણે સમાચાર તુરંત પાછા ખેંચવા અને જાહેરમાં માફી માગવાની માગ કરી...
PM મોદી 23 જુલાઈથી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે, UK સાથે FTA પર કરશે હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ સુધી એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વિદેશ પ્રવાસે રહેશે, જેમાં તેઓ બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. બ્રિટનમાં ભારત-યુકે FTA પર હસ્તાક્ષર પ્રધાનમંત્રી તેમની યાત્રાના પ્રથમ તબક્કામાં 23 અને 24 જુલાઈએ બ્રિટન જશે. અહીં તેઓ લાંબા સમયથી રાહ...









