બાંગ્લાદેશના ઢાકામાં 21 જુલાઈ, 2025ના રોજ એક ગંભીર દુર્ઘટના ઘટી છે જ્યાં બાંગ્લાદેશ એરફોર્સનું એફ-7 ટ્રેનર વિમાન ઉત્તર ઢાકામાં આવેલ માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 170થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે વિમાનનું પાઇલટ ફર્સ્ટ લેફ્ટિનેન્ટ તૌકીર ઇસ્લામ સાગર પણ શહીદ થયા હતા. ક્રેશ બાદ બચાવ અને રાહત કામગીરી તત્કાળ શરૂ કરવામાં આવી હતી.

વિમાન ચીનમાં બનેલું ચેંગદૂ એફ-7 બીજીઆઈ મોડલનું હતું, જેને બાંગ્લાદેશ એરફોર્સ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેતી હતી. મળતી માહિતી પ્રમાણે વિમાન ટેકઓફ બાદ તાત્કાલિક ટેક્નિકલ ખામી સામે આવી અને પાઇલટે પબ્લિક વાળા વિસ્તારો ટાળવા પ્રયાસ કર્યો, છતાં વિમાન બે માળની કોલેજ ઇમારત પર તૂટી પડ્યું.
વિમાનના કાટમાળમાં આગ લાગી જતા ભારે ધુમાડો ફેલાયો હતો અને આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા અન્ય સ્ટાફના લોકોના મોત થયા છે. અનેક ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ સરકારે 22 જુલાઈને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે. દુર્ઘટનાને લઈને ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. બચાવકાર્ય હજુ ચાલુ છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા અને નિવૃત્તિઓ ચાલુ છે. ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાઈ છે.

Leave a Reply