ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા.
નોઈડાની એસટીએફે નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી અનેક કારો પણ જપ્ત કરી છે. આશ્ચર્યજનક રીતે હર્ષવર્ધન લંડનના કોલેજ ઑફ એપ્લાઈડ સાયન્સમાંથી અને ગાઝિયાબાદની આઇટીએસ કોલેજમાંથી એમબીએ કર્યું છે. તેની પૃષ્ઠભૂમિ સમૃદ્ધ રહી છે — તેના પિતા માર્બલની ખાણોના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ હતાં. પિતાના અવસાન પછી વેપારમાં નુકસાન થતાં હર્ષવર્ધનની મુલાકાત ચંદ્રાસ્વામી સાથે થઈ હતી.
ચંદ્રાસ્વામીએ તેને લંડન મોકલ્યો જ્યાં તેણે શેલ કંપનીઓ શરૂ કરી અને ત્યારબાદ દુબઈમાં પણ ધંધો ફેલાવ્યો. અદનાન ખાશોગી જેવા આર્મ્સ ડીલર સાથે પણ તેનો સંપર્ક થયો હતો. ત્યારબાદ, ભારત પરત ફર્યા બાદ તેણે નકલી દૂતાવાસ શરૂ કર્યો અને વિદેશમાં નોકરીના લાલચમાં લોકોને છેતરતો રહ્યો.
યુપીએસટીએફ મુજબ હર્ષવર્ધનનું મુખ્ય કામ છે — વિદેશી નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાં, શેલ કંપનીઓ દ્વારા હવાલાના વ્યવહારો ચલાવવાં. હાલ તે કોની સાથે નાણાકીય વ્યવહારો કરતો હતો અને વિદેશમાં કયા નેટવર્ક સાથે જોડાયો હતો તે શોધ ચાલુ છે.

Leave a Reply