ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને ખાસ કરીને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયું છે. હાલમાં જ્યાં યુપીઆઈ સેવા સંપૂર્ણપણે મફત છે, ત્યાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સંજય મલ્હોત્રાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “કોઈકને તો આ સેવા માટે કિંમત ચૂકવવી જ પડશે. કોઈ પણ પેમેન્ટ સેવા લાંબા સમય...
Day: July 25, 2025
ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રિલીઝ પર લાગેલી રોક હટાવી
સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ પર લાગેલી રોક હટાવી દીધી છે, જેની પહેલાં દિલ્હી હાઇકોર્ટે 12 જુલાઈના રોજ રિલીઝ થનારી ફિલ્મ પર સ્ટે મૂક્યો હતો. ફિલ્મના નિર્માતાઓએ આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશભરના...
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ
આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...
જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી મારી સૌથી મોટી ભૂલ: રાહુલ ગાંધી
દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલી કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ખુલ્લેઆમ પોતાની ભૂલ સ્વીકારી છે. કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, “દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી સરળ છે, પણ OBC વર્ગની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શકી નહી એ મારી ખામી રહી છે. જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવવી એ અમારી પાર્ટીની નહીં, પણ...
ઑસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોનો હુમલો, દીવાલો પર લખાયા ઉશ્કેરણીજનક સૂત્રો
ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા. આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાયું, સંસદમાં મંજૂરી મળતાં નિર્ણય અમલી
મણિપુર રાજ્યમાં ચાલુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા વૈધાનિક ઠરાવને સંસદે મંજૂરી આપી છે. આ લંબાણ 13 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. પહેલાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભા ભંગ કરીને બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ...
2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા: વર્ષ નાગરિકતા છોડનાર લોકો 2019 1,44,017 2020 85,256 2021 1,63,370 2022 2,25,620 2023 2,16,219 2024 2,06,378 આ ડેટાથી સ્પષ્ટ છે...
રાજસ્થાનમાં શાળાની બિલ્ડિંગ ધરાશાયી: 4 બાળકોના મોત, 18 દટાયાની આશંકા
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં આવેલા ડાંગીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે ભયાનક દુર્ઘટના બની હતી. અહીં એક પ્રાથમિક શાળાની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે શાળામાં સવારની પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે અચાનક છત તૂટી પડતાં બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, હાલ સુધીમાં ચાર બાળકોના મૃત્યુની પુષ્ટિ...







