ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે.
નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ અટકી ગઈ છે અને અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ અટવાઈ ગયો છે. ચોમાસુ સત્ર અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે સંગઠન ચૂંટણી પર કાર્યવાહી થવાની સંભાવના ઓછી છે. બિહારમાં વિપક્ષની મજબૂત રણનીતિને કારણે ભાજપ જેડીયુના નેતૃત્વ હેઠળ ચૂંટણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને ભુપેન્દ્ર યાદવ જેવા દિગ્ગજોના નામ ચર્ચામાં છે. સંગઠનાત્મક અનુભવ, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનના આધારે આ નામોને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ભાજપે અત્યાર સુધીમાં 36માંથી 28 રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં અધ્યક્ષની વરણી હજી બાકી છે

Leave a Reply