સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા

સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ન્હાવા દરમિયાન ડૂબી ગયા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી છે.

કઈ રીતે બની આ દુર્ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ સેલ્ફી લેતા હતા ત્યારે એક વિદ્યાર્થીનો પગ લપસી ગયો અને તે ઝરણામાં ડૂબવા લાગ્યો. તેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થીઓએ પણ કૂદકો માર્યો અને તેઓ પણ પાણીના પ્રવાહમાં વહાઈ ગયા. દુર્ઘટનામાં બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓની શોધ હજુ ચાલુ છે.

તમામ વિદ્યાર્થી આંધ્ર પ્રદેશના નિવાસી

દુર્ઘટનામાં શિકાર બનેલા પાંચેય વિદ્યાર્થીઓ આંધ્ર પ્રદેશના રહેવાસી છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અંધારું હોવાને કારણે મુશ્કેલી આવી રહી હતી. સવારે રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી દ્વારા નિવેદન

VIT યુનિવર્સિટીના PRO અમિતે જણાવ્યું કે, “આ ખૂબ દુ:ખદ ઘટના છે. બે વિદ્યાર્થીઓના મોતની પુષ્ટિ થઈ ગઈ છે અને બાકી ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. તમામના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.”

Leave a Reply

Your email address will not be published.