બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું છે, વડગામમાં છેલ્લા 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વડગામ માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સિઝનમાં પ્રથમવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા છે અને ભાખરમાં ધાર્મિક સ્થળ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મહાદેવ...
Month: July 2025
મોહમ્મદ શમીએ અલગ રહેતી પત્ની અને દીકરીને દર મહિને 4 લાખનું વળતર આપવું પડશે
કલકત્તા હાઈકોર્ટે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ અજય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાંની અરજી પર ભારતીય ક્રિકેટરને માસિક ખર્ચો ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું કે મોહમ્મદ શમીની આવક, નાણાકીય દસ્તાવેજોને ધ્યાનમાં લેતાં તે વધુ રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે. કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે, શમીથી...
સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી રિજિજુએ...
પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રી મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં બુધવાર 2 જુલાઈએ ઘાના પહોંચ્યા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 30 વર્ષમાં ઘાનાની મુસાફરી કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. પીએમ...
કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યું છે. સિદ્ધારમૈયાએ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, ‘હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?’ સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી...
વિધાનસભા કેમ્પસ અને સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી
CM ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. સચિવાલય કેમ્પસમાં દરરોજ...
અમેરિકામાં હિન્દુ મંદિર પર ત્રણ વખત હુમલો, 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકાના યુટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં હાજર ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં ગોળીબારની ઘટના બની હતી. આ મંદિર પર આશરે 3 વાર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મંદિર પર 20થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જેનાથી મંદિરને ઘણું નુકસાન થયું હતું. આ મંદિર દર વર્ષે હોળીની ઉજવણી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બે દાયકા જૂનું આ...






