સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે.  સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી

રિજિજુએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના ચોમાસુ સત્રની નવી તારીખને મંજૂરી આપી દીધી છે. હવે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈને 21 ઓગસ્ટ-2025 સુધી યોજાશે. લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી પ્રથમ દિવસે 11.00 કલાકે શરૂ થશે.

વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી

સામાન્ય રીતે સંસદ સત્ર શરૂ થાય ત્યારે બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા ચર્ચાતા જ રહે છે. જોકે આ વખતનું સત્ર ઘણી બાબતે ખાસ માનવામાં આવે છે, કારણ કે, વિપક્ષ આ વખતે ભારત-પાકિસ્તાન ઘર્ષણ, અમેરિકા સાથે ટ્રેડ વોર સહિતના મુદ્દાઓ ઉઠાવી શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ  વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. ૩ જૂનના રોજ વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તે પછી સરકાર દ્વારા શરૂ કરાયેલા લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ પર તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી હતી. આ ઓપરેશન દ્વારા ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.