ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. રાજ્યમાં મુખ્ય રૂપે સક્રિય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પહેલેથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સના સંદર્ભમાં હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી (AAP)ને પણ ગઠબંધનમાં સામેલ કરશે?
અખિલેશનો અત્યાર સુધીનો AAP પ્રત્યેનું વલણ
દિલ્લી અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવએ ખુલ્લેઆમ AAPને ટેકો આપ્યો હતો અને મતદારોને AAPના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ પણ કરી હતી. જેના કારણે બે પાર્ટીઓ વચ્ચે સબંધો મજબૂત હોવાનું માનવામાં આવે છે.
UPમાં કુલ 403 વિધાનસભા બેઠકો છે. અહીં જીતનો અર્થ છે દેશની લોકસભા ચૂંટણીમાં પણ મોટી અસર. તેથી, AAPને બેઠકો આપવી કે નહીં એ અખિલેશ માટે વ્યૂહાત્મક નિર્ણય બની રહે છે.
AAPના જન આધાર પર સવાલ
નિષ્ણાતોના કહેવા મુજબ AAP હાલ દિલ્હીઅને પંજાબની બહાર મજબૂત પકડ ધરાવતી નથી. ગુજરાતમાં તેમણે સાવચેતીપૂર્વક પગ પેસારો કર્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તેમનો આધાર અત્યંત ઓછો છે. અખિલેશ યાદવ ચૂંટણીમાં સક્રિય અને આક્રમક અભિગમ ધરાવે છે અને તેઓ એવું ઇચ્છતા નથી કે સન્માનજનક બેઠકો ત્રીજા પક્ષને આપી દે અને પાર્ટીનું નુકસાન થાય.
કોંગ્રેસ પણ બેઠકો માટે દાવો કરી રહી છે
કોંગ્રેસે પણ યુપી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલમાં જ ગઠબંધનમાં સન્માનજનક બેઠકોની માંગ કરી છે. આવી સ્થિતિમાં, જો AAPને સમાજવાદી પાર્ટી તરફથી સપોર્ટ મળે, તો તે શું એકલા ચૂંટણી લડશે?
ગઠબંધન અંગે સ્પષ્ટતા હજુ નહીં
શિક્ષણવિદ અને રાજકીય વિશ્લેષક અવધ ઓઝાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “યુપીમાં ગઠબંધન અંગેનો નિર્ણય AAPનું નેતૃત્વ જ લેશે, પરંતુ હાલમાં તેમાં કોઈ સ્પષ્ટતા નથી.”
યુપીમાં AAP-SP વચ્ચે ગઠબંધન થશે કે નહીં તે હજુ અનિશ્ચિત છે. અખિલેશ યાદવ AAPને બેઠકો આપશે કે નહીં તે રાજકીય દબાણ, પસંદગીઓ અને સંભાવિત જીતની ગણતરી પર આધારિત રહેશે. આગામી મહિના અને વર્ષ દરમિયાન આ મુદ્દે સ્થિતિ વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.

Leave a Reply