બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની બંધારણીય જવાબદારીના ભાગરૂપે ફક્ત નકલી મતદારોને દૂર કરવા કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. તેમણે જણાવ્યુ હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને દેશભરમાં નકલી રાશન કાર્ડોની સંખ્યા મોટી છે, જે પાત્રતાની ખાતરી માટે અવિશ્વસનીય બને છે.
પંચે વધુમાં કહ્યું કે પાત્રતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડનો સમાવેશ ખાસ કરીને નકલી દસ્તાવેજોની સંખ્યાને કારણે કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કોઇ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દૂર થવા છતાં નાગરિકતા ગુમાવવાનો ભય રહેતો નથી.
સોગંદનામામાં ચૂંટણી પંચે એવી ખાતરી પણ આપી છે કે SIR (Special Summary Revision) પ્રક્રિયામાં કાયદાનું ઉલ્લંઘન થયો નથી અને કોઈના મૌલિક અધિકારોનું ભંગ કરાયું નથી.

Leave a Reply