બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે.
ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ શકે છે. અમે જોઈશું કે જનતા શું ઇચ્છે છે અને તમામ પક્ષોનું સંયુક્ત શું માનવું છે.”
તેમના આ નિવેદનના પરિપ્રક્ષ્યમાં એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષી દળો હવે કઠોર અને અસાધારણ રાજકીય પગલાં લેવા તૈયાર થઈ રહ્યા છે. જોકે, તેઓએ સ્પષ્ટપણે ચૂંટણી બહિષ્કારની ઘોષણા નથી કરી, પરંતુ આવા વિકલ્પની ચર્ચાને ખંડિત પણ નથી કરી.
વિપક્ષમાં એકજૂટતા અને રણનીતિ અંગે સતત મંતન ચાલી રહ્યું છે, અને તેજસ્વી યાદવનું આ નિવેદન બતાવે છે કે આગામી દિવસોમાં કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકાય છે. ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ પણ વિપક્ષની રણનીતિમાં સામેલ હોય તેવી શક્યતા જણાય રહી છે.

Leave a Reply