મણિપુર રાજ્યમાં ચાલુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા વૈધાનિક ઠરાવને સંસદે મંજૂરી આપી છે. આ લંબાણ 13 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. પહેલાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભા ભંગ કરીને બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. કલમ 356(3) મુજબ, રાષ્ટ્રપતિ શાસનને દર છ મહિને એક વખત લંબાવી શકાય છે, જે કુલ ત્રણ વર્ષ સુધી ચાલે શકે છે.

મણિપુરમાં મે 2023થી કુકી અને મેઇતેઈ સમુદાયોની વચ્ચે ભડકેલી જાતીય હિંસા પછી રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા ધરખસ્ત થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 260થી વધુ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે હજારો પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું છે. રાજીનામા બાદ રાજકીય અસ્થિરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું.
સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, વિષ્ણુપુર, કાકચિંગ, ટેંગનોપાલ અને તામેંગલોંગ જિલ્લામાં સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન પણ ચાલી રહ્યું છે. તાજેતરમાં 24 કલાકની અંદર અલગ-અલગ પ્રતિબંધિત સંગઠનોના 10 ઉગ્રવાદીઓને ધરપકડ કરવામાં આવ્યા છે. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

Leave a Reply