થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો છે.
કંબોડિયાની યુદ્ધવિરામ માટે અપીલ
શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ કંબોડિયાએ તાત્કાલિક અને બિનશરતી સીઝફાયર (Ceasefire) માટે અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂત ચેયા કિયોએ જણાવ્યું કે, “અમે શાંતિપૂર્ણ ઉકેલ માટે આહ્વાન કરીએ છીએ અને યુદ્ધવિરામ જરૂરી છે.”
થાઈલેન્ડે ત્રીજા પક્ષની મધ્યસ્થી નકારી કાઢી
થાઈ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ત્રિપક્ષીય વાતચીત કરતાં દ્વિપક્ષીય ચર્ચાને વધુ મહત્વ આપે છે. તેમનું કહેવું છે કે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી અને આ મુદ્દો બંને દેશો વચ્ચે વાતચીતથી ઉકેલાઈ શકે છે.
58,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું
કંબોડિયન સેનાએ BM-21 રોકેટ સિસ્ટમ અને ફિલ્ડ આર્ટિલરીના ઉપયોગ સાથે હુમલાઓ વધાર્યા છે. થાઈલેન્ડના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાંથી 58,000થી વધુ લોકો આશ્રયસ્થાનમાં ખસ્યા છે, જ્યારે કંબોડિયાની માહિતી મુજબ તેમનું અંદાજ છે કે 23,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે.

Leave a Reply