વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...
Author: Inside Media Network (Aarohi Patel)
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....
ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર
79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી...
પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ
ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે....
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...
સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...
CSKએ ડેવાલ્ડ બ્રેવિસને ‘અંડર ધ ટેબલ’ પૈસા આપ્યા? અશ્વિનનો ચોંકાવનારો દાવો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અંડર ધ ટેબલ ડીલને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને દાવો કર્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સામેલ કરવા માટે વધારાના પૈસા ચૂકવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસ, જેને ક્રિકેટ જગતમાં ‘બેબી ડી વિલિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, IPL...
સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો
સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને...
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...









