Ahmedabad Traffic Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-traffic/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 05:12:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ahmedabad Traffic Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ahmedabad-traffic/ 32 32 અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/ https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/#respond Fri, 05 Sep 2025 08:05:11 +0000 https://www.gujaratinside.com/?p=18447 અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે વિસર્જન થવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાલડીથી એસટી ગીતા મંદિર સુધીનો માર્ગ બંધ રહેશે, જેના કારણે વાહનચાલકો બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકરબ્રીજ, પાલડી અને આશ્રમ રોડના માર્ગનો ઉપયોગ કરી શકે છે. ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો માર્ગ પણ બંધ રહેશે, જેના માટે કાલુપુર જવા માટે એસટી દ્વારા ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા, ગોમતીપુર રેલવે કોલોની અને આંબેડરકર હોલ મારફતે કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશનથી સાંરગપુર સર્કલ અને એલિસબ્રીજ સુધીના માર્ગો બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તા થી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા સુધીના માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ, જૂની પોલીસ કમિશનર કચેરીથી દધિચીબ્રીજ, અને બીઆરટીએસ માર્ગ પરથી દધિચીબ્રીજ સુધી પણ તમામ પ્રકારના વાહનો માટે માર્ગ બંધ રહેશે. ઉપરાંત, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ માર્ગો બપોરે ૧ વાગ્યાથી મોડી રાત સુધી બંધ રહેશે.

 

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/feed/ 0
એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/ https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/#respond Mon, 01 Sep 2025 09:00:02 +0000 https://www.gujaratinside.com/?p=17965 એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય...

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ છે, જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટ જેટલું ફરીને  જવું પડે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 વચ્ચે વધુ પડકારરૂપ બની રહી છે, જે ઑફિસ જવાનો સમય છે.

ટ્રાફિક જામની સમસ્યાને કારણે વાહનચાલકો આડેધડ માર્ગો પસંદ કરી ટ્રાફિક વધારે વણસે છે. લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યો છે અને જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસ માત્ર VVIP મુલાકાત દરમિયાન જ સક્રિય રહે છે, જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાં ફસાવા છતાં કોઈ મદદ નથી મળતી.

ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી લોકોને માનસિક તાણ અને સમય-ઈંધણનો વ્યય વધતો જાય છે. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વ્યવસ્થિત ટ્રાફિક સંચાલન નથી. સ્થાનિકોને તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને મુશ્કેલીનો અંત આવે.

વેહિકલ્સ માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. સરખેજથી કર્ણાવતી ક્લબ જવા માટે વાહનચાલકોએ YMCA ક્લબ તરફ ડાબી બાજુ વળવું, પછી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ પરથી કર્ણાવતી ક્લબ પહોંચવું જોઈએ. પ્રહલાદનગરથી બે વિકલ્પી માર્ગ ઉપલબ્ધ છે: પહેલા પ્રહલાદનગરથી ડાબે વળીને YMCA રસ્તો લઈ કર્ણાવતી ક્લબ જવું, બીજા માર્ગમાં પ્રહલાદનગર ચાર રસ્તા પરથી જમણે વળીને સર્વિસ રોડ દ્વારા કર્ણાવતી જંક્શન પહોંચી શકાય.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે બ્રિજની નિર્માણ કંપની સાથે ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ સંકળાયેલા છે, જે ટ્રાફિક રોકાઈ નહીં એ સુનિશ્ચિત કરશે. ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે.

The post એમ.વાય.સી.એ.થી કર્ણાવતી ક્લબ સુધી ટ્રાફિક અવરોધ, એસ.જી. હાઇવે પર ફ્લાયઓવરનો પ્રભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/sg-highway-flyover-traffic-jam-1km/feed/ 0