લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી. આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી...
Tag: Allahabad High Court
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી દુષ્કર્મની એફઆઈઆર, IPL દરમિયાન શોષણનો આરોપ
આરસીબી (RCB) માટે IPL-2025 રમનાર ક્રિકેટર યશ દયાલના મુશ્કેલીઓમાં વધારો થયો છે. જયપુરની એક યુવતીએ તેમની સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવી નવી એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યશ દયાલે ક્રિકેટમાં કરિયર બનાવવાની લાલચ આપી તેને બ્લેકમેઇલ કરીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેઓ IPL દરમિયાન જયપુર આવ્યા ત્યારે તેમના...
જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’
ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....





