Amit Shah Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amit-shah/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 12:34:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Amit Shah Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/amit-shah/ 32 32 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/ https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/#respond Tue, 23 Sep 2025 13:40:26 +0000 https://www.gujaratinside.com/?p=19955 કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે...

The post કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે સ્થાનિક પર્યાવરણને સુધારવા અને જળસંચય માટે લાભકારક રહેશે. આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે જાસપુર રોડ પર બનેલ STP (સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

શહેરના મુખ્ય ટાવર ચોક પર બનેલા રેન બસેરા લોકાર્પણ બાદ રાહદારીઓ અને નાગરિકોને અનુકૂળતા મળશે.

કાર્યક્રમ અંતર્ગત, અમિત શાહે રૂ. 90 કરોડના ખર્ચે નવા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું.

કાર્યક્રમમાં ગૃહમંત્રીએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના પ્રયાસોની પ્રશંસા કરતાં કલોલ શહેરના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત દરમ્યાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

The post કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-kalol-development-inauguration/feed/ 0
GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/ https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/#respond Tue, 23 Sep 2025 09:33:51 +0000 https://www.gujaratinside.com/?p=19920 ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.” અમિત...

The post GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.”

અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની જરૂરિયાત કરતાં વધુ ટેક્સ વસૂલવામાં આવશે નહીં અને જો એવો કોઇ ટેક્સ હશે તો તેને ઘટાડવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે પહેલી નવરાત્રિથી નવા GST દરો અમલમાં આવ્યા છે અને કેટલીક વસ્તુઓ પર GST શૂન્ય કરાયો છે. ઉપરાંત, દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ શૂન્ય કરાયો છે, જે આઝાદી બાદ પહેલીવાર થયું છે.

કાર્યક્રમ બાદ અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગાંધીનગરમાં ગટર અને પાણીની લાઈનના કામો તેમજ ટ્રંક લાઈન સંબંધિત પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ કામોની પ્રગતિ વિશે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સાંજે અમિત શાહ માણસામાં બહુચરાજી માતાના મંદિરે દર્શન કરશે અને ગાંધીનગરમાં જાહેર ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

 

The post GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/feed/ 0
નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/ https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/#respond Mon, 22 Sep 2025 16:05:49 +0000 https://www.gujaratinside.com/?p=19894 છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે. બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય...

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.

સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે.

બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સભ્ય હતા અને લાંબા સમયથી સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બન્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે નારાયણપુરના અભુજમાડ વિસ્તારમાં આ કામગીરી સુરક્ષા દળોની મોટી જીત છે.

તેમણે લખ્યું કે સુરક્ષાદળો નક્સલવાદી સંગઠનોના ટોચના નેતૃત્વને એક પછી એક ખતમ કરી રહ્યા છે, જેના કારણે લાલ આતંકની કમર તૂટી રહી છે અને 2026 સુધી દેશને નક્સલવાદ મુક્ત કરવાનો લક્ષ્ય ઝડપથી સિદ્ધ થઈ રહ્યો છે.

અથડામણ થયેલા સ્થળ પરથી સુરક્ષાદળોએ મહત્વના હથિયારો જપ્ત કર્યા છે જેમાં એક AK-47, એક INSAS રાઇફલ, બેરલ ગ્રેનેડ લોન્ચર તેમજ મોટી માત્રામાં વિસ્ફોટકો અને નક્સલી સાહિત્ય સામેલ છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં CRPF, CoBRA જેવી વિશેષ દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને જે નક્સલી હથિયાર છોડી રહ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 

The post નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/narayanpur-security-forces-kill-two-top-naxal-commanders/feed/ 0
અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-bjp-faction-meeting-rajkot/ https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-bjp-faction-meeting-rajkot/#respond Mon, 22 Sep 2025 14:00:01 +0000 https://www.gujaratinside.com/?p=19880 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી....

The post અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા.

બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

તાત્કાલિક પૃષ્ઠભૂમિ મુજબ, પુનિતનગર વિસ્તારમાં ભાજપના નેતા લીલુબેન જાદવ ભાવુક બન્યાં હતા, કારણ કે તેમના કહેવા મુજબ તેમના પ્રતિ છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને બદનામ કરવાની ઘટનાઓ થઈ રહી હતી. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળીને મંત્રીએને પત્ર લખ્યો હતો અને આ મુદ્દે સમય માંગ્યો હતો.

બેઠક દરમિયાન ભાજપના સાંસદ રામ મોકરિયા દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા નિવેદનને પણ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ પોસ્ટ બાદ શહેરમાં જૂથવાદની ચર્ચા ગભરામણનું કારણ બની હતી. સૂત્રોનું કહેવું છે કે આ બેઠક પાર્ટીનું યુનિટી જાળવવા અને આગામી ચૂંટણી માટે તૈયારી કરવા માટે યોજાઈ હતી.

 

The post અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-bjp-faction-meeting-rajkot/feed/ 0
અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-surat-iskcon-temple-groundbreaking/ https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-surat-iskcon-temple-groundbreaking/#respond Mon, 22 Sep 2025 13:40:30 +0000 https://www.gujaratinside.com/?p=19878 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને...

The post અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે.

ભૂમિપૂજનની વિધિ દરમિયાન અમિત શાહે સી.આર. પાટીલને પોતાની નજીક બોલાવી પૂજામાં સામેલ કરવામાં આવ્યો. પાટીલે પ્રસંગને ઐતિહાસિક ગણાવી અને પોતાના શુભેચ્છાઓ વ્યક્ત કર્યા. ભૂમિપૂજન પછી મંત્રીએ મંદિરના આધ્યાત્મિક મહત્વ અને વિકાસ પર પ્રકાશ પાડ્યો.

સુરતમાં પહોંચતાં અમિત શાહે પાટીલના નિવાસસ્થાને રાત્રી ભોજન લીધો અને સુરત સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું.

આ દરમિયાન તેમણે ઇસ્કોન મંદિરની સાથોસાથ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં પણ હાજરી આપી. સાથે સાથે, અમિત શાહે X પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને GST સુધારા અંગેની જાહેરાત કરી.

તેમણે જણાવ્યું કે, નવું NEXT-Gen GST ફ્રેમવર્ક દેશભરના નાગરિકોને રાહત આપશે, જેમાં 390થી વધુ વસ્તુઓ પર કરમાં ઘટાડો થશે.

ખાદ્યસામાન, ઘરગથ્થુ, ઓટોમોબાઈલ્સ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોમાં આ સુધારા નાગરિકોની બચત અને જીવનમાનમાં વધારો કરશે.

The post અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/amit-shah-surat-iskcon-temple-groundbreaking/feed/ 0
અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/ https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/#respond Sun, 21 Sep 2025 10:15:02 +0000 https://www.gujaratinside.com/?p=19777 ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય...

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે.

22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો છે.

તેઓ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અમદાવાદના જોધપુર અને સરખેજ વિસ્તારમાં ચાલી રહેલા નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધશે.

23 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરમાં 11 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને અમદાવાદમાં ચાલતા ટ્રંક લાઈન કામો અને ગાંધીનગરમાં ગટર તથા પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરશે.

આ ઉપરાંત, તેઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ ભાગ લેશે.

નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, ગૃહમંત્રી બીજા દિવસે માણસામાં તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન વિકાસ કાર્યોની સમીક્ષા અને રાજકીય ગતિવિધિઓને ગતિ આપવાનું મંત્રીનું મુખ્ય લક્ષ્ય રહેશે.

 

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/feed/ 0
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/ https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/#respond Sun, 14 Sep 2025 14:50:37 +0000 https://www.gujaratinside.com/?p=19359 આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

ગૃહમંત્રીએ ઉમેર્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી માત્ર 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં વડાપ્રધાનજી બોલ્યા, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ બનાવો.’”

આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ફેસિલિટી છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. અહીં વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ફિટ ઇન્ડિયા ઝોનનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, “ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવું જોઈએ.”

આ પ્રસંગે અમિત શાહે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ સામેલ છે.

ત્યારબાદ તેઓ સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, અને ત્યારબાદ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.

 

 

The post અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/ahmedabad-naranpura-world-class-sports-complex/feed/ 0
મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/ https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/#respond Fri, 05 Sep 2025 04:18:32 +0000 https://www.gujaratinside.com/?p=18421 નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે....

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે.

આ સમજૂતી પછી રાજ્યની જીવનરેખા ગણાતા નેશનલ હાઇવે-2 ફરી ખુલ્યો છે, જેના કારણે મણિપુરના નાગરિકોને દૈનિક જરૂરિયાતોની પુરવઠામાં મોટી રાહત મળી છે.

બન્ને સંગઠનોએ પોતાના શસ્ત્રો કેન્દ્રીય દળો અને BSFને સોંપવાની સંમતિ આપી છે અને શાંતિ જાળવવામાં સહયોગ આપવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે પણ તેમના વિસ્તારોમાંથી વિદેશી તત્વોને બહાર કાઢવા પગલાં લેવાની વાત કરી છે.

ગયા વર્ષે 3 મે, 2023થી મૈતેઈ સમુદાયે શેડ્યુલ્ડ ટ્રાઇબનો દરજ્જો માંગતા અને તેના વિરોધમાં કૂચ પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા હતા.

હવે ત્રિપક્ષીય કરાર (ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, KNO અને UPF વચ્ચે) “સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO)” હેઠળ અમલમાં આવશે, જે એક વર્ષ સુધી માન્ય રહેશે. કરારમાં વાતચીત દ્વારા હલ શોધવાનો અને રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપવાનો માર્ગ થયો છે.

પ્રતિબદ્ધતા મુજબ, કુકી-ઝો કાઉન્સિલ ભારત સરકારની સુરક્ષા દળો સાથે મળીને નેશનલ હાઇવે-2 પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે, જેથી રાજ્યમાં લોકોની દૈનિક જરૂરિયાતો સમયસર પહોંચી શકે.

 

The post મણિપુરમાં બે વર્ષની હિંસા બાદ શાંતિ કરાર, નેશનલ હાઇવે-2 ફરી ખુલતાં લોકોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/manipur-peace-deal-highway-reopens/feed/ 0
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/ https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/#respond Mon, 25 Aug 2025 11:13:26 +0000 https://www.gujaratinside.com/?p=17267 લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે...

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે સરકારએ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાનો નિર્ણય કર્યો.

પરંતુ આ બિલને લઈને વિપક્ષમાં મતભેદ ઊભા થયા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, તો બીજી તરફ કેટલાક સાથી પક્ષો હવે પાછીપાની કરી રહ્યા છે. JPCમાં સામેલ થવા મામલે ત્રાટકેલા આ મતભેદને કારણે ભાજપને રાજકીય ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ JPCમાં પોતાની વાત રજૂ કરવા માંગે છે, જ્યારે TMC અને આમ આદમી પાર્ટીએ તેમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. સમાજવાદી પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગઠબંધન (UBT) પણ પાછળ હટતા જણાઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ સાથી પક્ષોને મનાવવા માટે કવાયત કરી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, JPC ખૂબ જ મહત્વનું મંચ છે, જ્યાં વિપક્ષો પોતાની વાત રજૂ કરી શકે છે અને રિપોર્ટમાં તેમની વાત સામેલ થશે. કોંગ્રેસ હાલમાં DMK, RJD, JMM અને NCP (SP) સાથે સંપર્ક કરી રહી છે.

20 ઓગસ્ટે લોકસભામાં આ બિલ રજૂ થયું હતું. બિલના વિરોધમાં વિપક્ષે લોકસભાની વેલ સુધી ધસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા, બિલની કોપી ફાડી નાખી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. વિવાદને કારણે સરકારએ બિલને JPCને સોંપવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ બિલ બંધારણના 130મા સંશોધન સાથે જોડાયેલું છે. વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો.

 

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/feed/ 0