પંજાબ: રાજ્ય કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે, જેમાં અત્યારસુધી 43થી વધુ લોકોના મોત નોંધાયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુલ 1902 ગામ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લગભગ 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યારસુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ...


