નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...

