બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે. તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક,...
રાહુલ ગાંધીની બાઇક રેલી દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક: યુવકે કરી કિસ, કમાન્ડોએ માથે થપ્પડ માર્યો
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન બાઇક રેલીમાં એક અજાણી વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક આવી ગયો અને અચાનક તેને કિસ કરી નાખ્યો. ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત કમાન્ડો દોડી આવ્યા અને તે યુવકને પકડીને થપ્પડ માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ
કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...
દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો: આરોપી રાજેશ ખીમજી હિન્દુ ધર્મનો હોવાનું ખુલ્યું
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઑગસ્ટ 2025ના રોજ સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, રેખા ગુપ્તા લોકોની અરજીઓ સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટના રહેવાસી 41 વર્ષીય રાજેશ ખીમજીએ અરજી...
પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’
નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા. સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સી.પી. રાધાકૃષ્ણન પહેલા તમિલનાડુના કોઇમ્બતુરથી બે...
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની...
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...
જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા...









