Central Cabinet Decision Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/central-cabinet-decision/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 15:01:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Central Cabinet Decision Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/central-cabinet-decision/ 32 32 કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/ https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/#respond Wed, 27 Aug 2025 15:01:54 +0000 https://www.gujaratinside.com/?p=17546 કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકારના આ...

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

સરકારના આ નિર્ણયથી યોજનામાં લગભગ 50 લાખ નવા ફેરિયાઓ સામેલ થશે. ઉપરાંત યોજનામાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેમાં લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી સુવિધાઓનો સમાવેશ છે. આ પગલાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપશે.

નવા ફેરફાર મુજબ, પહેલાની પ્રથમ લોન 10,000 રૂપિયાની જગ્યાએ હવે 5,000 રૂપિયા રહેશે. બીજી લોનમાં વધારો કરીને 25,000 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજી લોન 50,000 રૂપિયાની યથાવત રહેશે. ખાસ વાત એ છે કે, જે લાભાર્થીઓ પોતાની બીજી લોન સમયસર ચૂકવશે, તેમને યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેઓને વ્યવસાય અને અંગત જરૂરિયાત માટે તરત ક્રેડિટ ઉપલબ્ધ થશે. ઉપરાંત, ડિજિટલ વ્યવહારો પર રૂપિયા 1,600 સુધીનું કેશબેક મળશે.

 

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/feed/ 0