જૈન સમાજના ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા યોજાઈ રહી છે, જેમાં 885 ભાવિકોએ સામૂહિક માસક્ષમણ કરીને અનોખી પ્રેરણા આપી છે. આ પ્રસંગે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટ, શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પારણાંનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં શહેર સહિત સમગ્ર જૈન સમાજને આમંત્રણ આપવામાં...
