થાઇલૅન્ડના સૌથી યુવા વડાપ્રધાન પૈયતોંગતાર્ન શિનાવાત્રાને બંધારણીય અદાલતે નૈતિક આચરણના ઉલ્લંઘનના આરોપમાં દોષિત ઠેરવી પદ પરથી હટાવી દીધા છે. શિનાવાત્રાને માત્ર એક વર્ષ પહેલાં જ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પદ હટાવવાનો મુખ્ય કારણ જૂનમાં થયેલી ફોન કોલ લીક છે, જેમાં શિનાવાત્રાએ કંબોડિયાના નેતા હુન સેન સાથે વાતચીત કરી હતી. અદાલતે જણાવ્યું કે આ વાતચીતમાં રાષ્ટ્રીય...
