જીએસએફસી કંપનીમાંથી બરતરફ કરાયેલા કામદારોને વેતન ચૂકવવા કોર્ટના આદેશ હોવા છતાં, છેલ્લા છ મહિનાથી વેતન ન મળતાં આજે કામદારો કંપનીના મુખ્ય દરવાજા પાસે ધરણાં પર બેઠા. વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન વિભાગમાં કાર્યરત 105 જેટલા કામદારોને 2020માં બરતરફ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ કોર્ટમાં ગયા બાદ કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને વેતન...
