દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. પ્રારંભિક જાણકારી મુજબ, સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. સેનાએ ઘટનાની જાણ થતા તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. લેહ અને ઉધમપુરથી વધારાની ટીમો પણ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી...

