global supply chain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-supply-chain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 15:25:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png global supply chain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-supply-chain/ 32 32 ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/ https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/#respond Sun, 14 Sep 2025 16:15:16 +0000 https://www.gujaratinside.com/?p=19375 ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...

The post ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી.

કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ જેવા ક્ષેત્રોને આવરી લેવાનો છે.

છેલ્લા દાયકામાં અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં, અલગ આર્થિક પ્રાથમિકતાઓ અને નિયમોને કારણે પ્રગતિ ધીમી રહી હતી. EU ભારત પાસેથી ઔદ્યોગિક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને સેવા ક્ષેત્ર સુધી વધુ પહોંચ માંગે છે, જ્યારે ભારત તેની વિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુગમતા માગે છે.

જો આ કરાર અમલમાં આવે છે, તો EU ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બનશે અને સાથે સાથે વિદેશી રોકાણનો મજબૂત સ્ત્રોત પણ પૂરું પાડશે, જે ભારતની વૈશ્વિક વેપાર હાજરીને વધારશે.

યુરોપિયન યુનિયન માટે આ કરાર મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરવા માંગે છે.

2013માં અટકેલી આ વાટાઘાટો COVID-19 રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ અને સપ્લાય ચેઇન કટોકટી પછી 2022માં ફરી શરૂ કરવામાં આવી હતી. હાલ ચર્ચાઓનું કેન્દ્ર ટકાઉ વિકાસ, ડિજિટલ વેપાર અને મજબૂત સપ્લાય ચેઇન પર છે.

જો આ કરાર પૂર્ણ થાય છે, તો તે ફક્ત ભારત અને EU વચ્ચેના વેપાર અને રોકાણને નવી ઊંચાઈએ લઈ જશે એટલું જ નહીં, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક નિયમો બનાવવામાં આગેવાની લેતા દેશોમાં સ્થાન અપાવશે અને વિશ્વના અન્ય મુખ્ય અર્થતંત્રો સાથેની વાટાઘાટોમાં પણ ભારતને મજબૂત સ્થિતિ આપશે.

The post ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/feed/ 0
ચીનનો અચાનક નિર્ણય: આઈફોન-17 લોન્ચિંગ પહેલાં જ ફોક્સકોનના 300 એન્જિનિયરોને ભારતમાંથી પરત બોલાવ્યા https://www.gujaratinside.com/2025/08/25/china-recalls-foxconn-engineers-iphone17-india/ https://www.gujaratinside.com/2025/08/25/china-recalls-foxconn-engineers-iphone17-india/#respond Mon, 25 Aug 2025 06:29:04 +0000 https://www.gujaratinside.com/?p=17217 ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી ઊભર્યું છે અને વૈશ્વિક નિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો હાલ આશરે 20 ટકા છે. આવામાં, એપલ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનો નવો આઈફોન-17 લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. પરંતુ...

The post ચીનનો અચાનક નિર્ણય: આઈફોન-17 લોન્ચિંગ પહેલાં જ ફોક્સકોનના 300 એન્જિનિયરોને ભારતમાંથી પરત બોલાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી ઊભર્યું છે અને વૈશ્વિક નિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો હાલ આશરે 20 ટકા છે. આવામાં, એપલ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનો નવો આઈફોન-17 લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. પરંતુ લોન્ચિંગ પહેલાં જ ચીને અચાનક આ પ્લાન્ટમાંથી તેના અંદાજે 300 એન્જિનિયરોને પરત બોલાવી લીધા છે, જેના કારણે નવા પ્રોજેક્ટની ગતિ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

Apple's efforts fail to end gruelling conditions at Foxconn factories |  Foxconn | The Guardian

અમેરિકન કંપની એપલ ભારતમાં ફોક્સકોન મારફતે આઈફોનનું ઉત્પાદન કરે છે. આ એન્જિનિયરો ફોક્સકોનની યુજાન ટેક્નોલોજી યુનિટમાં કાર્યરત હતા, જે જૂના આઈફોન મોડલ્સ માટે ઈનક્લોઝર અને ડિસ્પ્લે મોડયુલનું ઉત્પાદન કરતી હતી. મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, આ કર્મચારીઓને પાછા મોકલ્યા બાદ હવે તાઈવાનના એન્જિનિયરોને તેમની જગ્યાએ રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ, આ પહેલીવાર નથી કે ચીને આવું પગલું ભર્યું હોય. આ વર્ષના પ્રારંભમાં પણ ફોક્સકોને ભારત સ્થિત પોતાની ફેક્ટરીમાંથી સૈંકડો ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને પાછા બોલાવ્યા હતા. આથી એપલના ભારતમાં વિસ્તરણની ગતિ ધીમી પડી રહી છે.

અહેવાલો અનુસાર, ચીને મૌખિક રીતે તેના નિયામકો અને સ્થાનિક સરકારોને ભારત તેમજ દક્ષિણ-પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવા સંકેતો આપ્યા હતા, જેથી એપલના ઉત્પાદનનો આધાર ચીનમાંથી દૂર ન થાય. જોકે, તાજેતરમાં એન્જિનિયરોને પરત બોલાવવાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

The post ચીનનો અચાનક નિર્ણય: આઈફોન-17 લોન્ચિંગ પહેલાં જ ફોક્સકોનના 300 એન્જિનિયરોને ભારતમાંથી પરત બોલાવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/china-recalls-foxconn-engineers-iphone17-india/feed/ 0