ઋષિકેશ-ગંગોત્રી હાઇવે નરેન્દ્ર નગરના બગડધાર વિસ્તારમાં ગઇ રાત્રે આશરે 9.30 કલાકે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે પહાડ પરથી મોટી માત્રામાં કાટમાળ અને માટી નીચે ધસી આવી હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ કરવી પડી. ગઇ કાલ રાત્રિથી હાઇવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ચાલતા જવા માટે પણ રસ્તો જોખમી...
Tag: Heavy Rainfall
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના...
સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...
ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ
ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને...
જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે...
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ
રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં...
પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને...
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...
સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ. ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને...









