Heavy Rainfall Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rainfall/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 10:11:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Heavy Rainfall Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rainfall/ 32 32 ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં અનેક હાઇવે બંધ, યાત્રીઓને મુશ્કેલી https://www.gujaratinside.com/2025/09/12/rishikesh-gangotri-yamunotri-highway-landslide/ https://www.gujaratinside.com/2025/09/12/rishikesh-gangotri-yamunotri-highway-landslide/#respond Fri, 12 Sep 2025 09:00:40 +0000 https://www.gujaratinside.com/?p=19226 ઋષિકેશ-ગંગોત્રી હાઇવે નરેન્દ્ર નગરના બગડધાર વિસ્તારમાં ગઇ રાત્રે આશરે 9.30 કલાકે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે પહાડ પરથી મોટી માત્રામાં કાટમાળ અને માટી નીચે ધસી આવી હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ કરવી પડી. ગઇ કાલ રાત્રિથી હાઇવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ચાલતા જવા માટે પણ રસ્તો જોખમી...

The post ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં અનેક હાઇવે બંધ, યાત્રીઓને મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઋષિકેશ-ગંગોત્રી હાઇવે નરેન્દ્ર નગરના બગડધાર વિસ્તારમાં ગઇ રાત્રે આશરે 9.30 કલાકે ભૂસ્ખલનની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે પહાડ પરથી મોટી માત્રામાં કાટમાળ અને માટી નીચે ધસી આવી હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ કરવી પડી. ગઇ કાલ રાત્રિથી હાઇવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, અને ચાલતા જવા માટે પણ રસ્તો જોખમી બન્યો છે.

બીજી તરફ બડકોટ વિસ્તારમાં યમુનોત્રી હાઇવે બનાસ-નારદ ચટ્ટી પાસે 20 દિવસથી બંધ છે. ફૂલ ચટ્ટી પાસે જાનકી ચટ્ટીને જોડતા રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ અને જોખમી બની રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં 13 સપ્ટેમ્બરે યમુનોત્રી યાત્રા શરૂ થવાની તૈયારી પર સવાલો ઊભા થયા છે, અને યાત્રીઓ અને સ્થાનિક લોકોને ચિંતા વ્યાપી રહી છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ અવરજવર પર અસર જોવા મળી છે. ગુરુવારે રાજ્યમાં 177 રસ્તાઓ બંધ રહ્યા, જેમાં તિહરીમાં 23, ચમોલી 32, રુદ્રપ્રયાગ 25, પૌરી 12 અને ઉત્તરકાશી 21 માર્ગો બંધ હતા. દેહરાદૂનમાં 16, હરિદ્વારમાં 1, પિથોરાગઢ 18, અલ્મોડા 16, બાગેશ્વર 6 અને નૈનીતાલ 7 માર્ગો બંધ રહ્યા.

હવામાન વિભાગે દેહરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, પૌરી, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવત અને પિથોરાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કેટલીક જગ્યાએ યલો એલર્ટ પણ જાહેર કરાયો છે. વિભાગના મુજબ, વાતાવરણમાં પરિવર્તન અને વાદળછાયું સ્થિતિને કારણે વરસાદ ચાલુ રહેશે અને 17 સપ્ટેમ્બરે હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

 

The post ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં અનેક હાઇવે બંધ, યાત્રીઓને મુશ્કેલી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rishikesh-gangotri-yamunotri-highway-landslide/feed/ 0
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/ https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/#respond Tue, 02 Sep 2025 13:18:12 +0000 https://www.gujaratinside.com/?p=18136 ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 એલર્ટ અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજની વિગતો પણ આપવામાં આવી હતી.

NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિમાં આવી શકે તેવી કટોકટી માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRF ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે.

આબોહવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા તાલુકામાં 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ, 140 તાલુકામાં 20થી 40 ઇંચ અને 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે લોકો અને ખેતીવાડીઓને સાવચેત રહેવા આદેશ આપ્યો છે.

 

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/feed/ 0
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/ https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/#respond Mon, 01 Sep 2025 13:25:34 +0000 https://www.gujaratinside.com/?p=18003 હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના...

The post હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ભારે તબાહી સર્જાઈ છે. શિમલા, કોટખાઈ, જુબ્બલ, સિરમૌર સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે અને પાંચ લોકોના મૃત્યુની ઘોષણા થઈ છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘરની ભૂસ્ખલનથી પિતા અને પુત્રીના મોત થયા, જ્યારે પત્ની બચી ગઈ. સિરમૌરમાં પણ એક મહિલાનું ભૂસ્ખલનથી મોત થયું. કોટખાઈના ખનેટીના ચોલ ગામમાં અને જુબ્બલના ભૌલી ગામમાં વધુ બે લોકોના મૃત્યુ થયા. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત રકમ આપીને સમુદાય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.

શિમલામાં ઠેર-ઠેર રસ્તાઓ તૂટ્યા છે અને ભંગાર પાથરો પડી ગયા છે. ખલીની-ઝંઝીરી રોડ, રામનગર, મેહલી-શોઘી રોડ અને કાલકા-શિમલા રેલવે લાઇન પર પણ અવરોધ સર્જાયા છે. સોમવારે સવારે રાજ્યમાં 793 રસ્તાઓ, 2,174 વીજળી ટ્રાન્સફોર્મર અને 365 પાણી પુરવઠા યોજનાઓ બંધ રહી હતી. આ કારણે લોકોને પગપાળા મુસાફરી કરવી પડી રહી છે.

હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉના, બિલાસપુર, કાંગડા, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર છે, જ્યારે હમીરપુર, ચંબા, કુલ્લુ, મંડી, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભયંકર હવામાનને ધ્યાનમાં લઈને 11 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મોનસૂન દરમિયાન અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 320 લોકોના મોત થયા છે, 379 લોકો ઘાયલ છે અને 40 લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલન, પૂર અને માર્ગ અકસ્માતના કારણે 4,569 મકાનો, 3,710 ગૌશાળાઓ અને 1,885 પાલતુ પ્રાણીઓનું નુકસાન થયું છે. કુલ્લુમાં ઓગસ્ટમાં 473 મીમી વરસાદ નોંધાયો છે, જે 2011ના રેકોર્ડ કરતાં નોંધપાત્ર છે. રાજ્યમાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 72% વધુ વરસાદ પડ્યો છે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્કૂએ રાજ્યમાં સતત વરસાદ અને નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા લોકોની સલામતીના સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સાવધાની રાખવા, નદીઓ અને નાળાઓના કિનારે ન જવા અને વહીવટી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

The post હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5 મોત, 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/himachal-pradesh-heavy-rain-landslide-flood/feed/ 0
સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/ https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/#respond Sat, 30 Aug 2025 16:25:30 +0000 https://www.gujaratinside.com/?p=17829 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.

ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.

નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/feed/ 0
ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/#respond Sat, 30 Aug 2025 14:17:05 +0000 https://www.gujaratinside.com/?p=17815 ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને...

The post ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણીના પ્રવાહને કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેમાં ઘરવખરીને નુકસાન થયું છે. ઘણા પરિવારો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર થયા છે. પાણીમાં ડૂબી ગયેલી કારની માત્ર છત જ દેખાઇ રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે તંત્રને જાણ કરી હતી, છતાં કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચી મદદ કરી નથી. આ બેદરકારીને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક યુવાનો જ ‘દેવદૂત’ બનીને લોકોને, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અને તંત્રની નિષ્ફળતા અંગે સવાલો ઉભા કરે છે.

 

The post ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/godhra-heavy-rain-flood-waterlogging/feed/ 0
જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/ https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/#respond Sat, 30 Aug 2025 04:53:54 +0000 https://www.gujaratinside.com/?p=17748 જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે...

The post જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે અને રેસ્ક્યૂ કામગીરી જોરશોરથી ચાલુ છે.

સ્થિતિ ગંભીર બનતા તંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થવાથી રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહનમાં ભારે અવરોધ ઊભો થયો છે.

તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પ્રભાવિત પરિવારો માટે અસ્થાયી રાહત કેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

The post જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/cloudburst-in-jammu-kashmir-ramban-7-dead/feed/ 0
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/ https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/#respond Fri, 29 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=17717 રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં...

The post ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં 2.95 ઇંચ, સુરતના માંડવીમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ, આણંદ, સુરતના બારડોલી, ભાવનગરના મહુવા તાલુકામાં 2 ઇંચના આસપાસ વરસાદ નોંધાયો છે.

નવસારીના ચીખલી, ગણદેવી, ખેરગામ, વાંસદા, સુરતના મહુવા, કામરેજ, ખેડાના વસો, તાપીના સોનગઢ, સાબરકાંઠાના હિંમતનગર, વિજયનગર અને વલસાડના ધરમપુર સહિત 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 77 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં મોસમ અનુકૂળ રહેતા ખેડૂતો અને લોકોને વરસાદના લાભ મળી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર નોંધાઈ રહી છે.

 

The post ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/feed/ 0
પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/ https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/#respond Fri, 29 Aug 2025 09:56:10 +0000 https://www.gujaratinside.com/?p=17668 પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને...

The post પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને પણ બચાવવાનો મોકો મળ્યો નથી.

લોકોના જણાવ્યા પ્રમાણે, 1988 બાદ પહેલીવાર પંજાબમાં આટલું વિકટ પૂર આવ્યું છે, જેનાથી 37 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પડતા અવિરત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ ખતરની સપાટીએ પહોંચી ગઈ છે અને બે કાંઠે વહેતી થઈ રહી છે.

પૂરથી પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ જિલ્લા વહીવટીતંત્રને રાહત કામગીરી તેજ કરવા આદેશ આપ્યો છે અને ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ફ્લડ કંટ્રોલ રૂમ તથા ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પટિયાલા જિલ્લામાં પૂરનો લાંબો ઈતિહાસ રહ્યો છે. 1993માં અહીં ભારે પૂર આવ્યું હતું અને 2023માં પણ વરસાદી પૂરે જિલ્લાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર #PrayforPunjab ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે અનેક NRI પંજાબને મદદ માટે આગળ આવી રહ્યા છે.

 

The post પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/feed/ 0
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/ https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/#respond Fri, 29 Aug 2025 05:21:38 +0000 https://www.gujaratinside.com/?p=17647 ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે.

માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. ઉપરાંત, બે લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું કે આ કુદરતી આફતથી અનેક મકાન અને ગૌશાળાઓને નુકસાન થયું છે. કાટમાળ અને કાદવ ઘરોમાં ઘુસી જતાં હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. આશરે 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલાં હાલતમાં મળી આવ્યા છે, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છે.

આભ ફાટ્યાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદને કારણે પ્રદેશમાં ભૌગોલિક અસુરક્ષિતતા વધી રહી છે, જેના કારણે પ્રજામાં ચિંતા વ્યાપી છે.

 

The post ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/uttarakhand-chamoli-cloudburst-two-missing/feed/ 0
સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા https://www.gujaratinside.com/2025/08/22/sawai-madhopur-boat-capsize/ https://www.gujaratinside.com/2025/08/22/sawai-madhopur-boat-capsize/#respond Fri, 22 Aug 2025 14:09:07 +0000 https://www.gujaratinside.com/?p=16964 રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ. ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને...

The post સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આજે સૂરવાલ નદીમાં મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક હોડી પલટી જતા 10 લોકો પૈકી 3 લોકો બચાવાયા છે અને 7 લોકો હજુ લાપતા છે. સ્થાનિક માહિતી અનુસાર, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, જેના કારણે બોટનું સંતુલન બગડી અચાનક પલટી ગઈ.

ઘટના રણથંભોર નેશનલ પાર્ક નજીક થઈ હતી અને સ્થળ પર પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા છે. હાલ બચાવ અને શોધખોળની કામગીરી ચાલુ છે.

સવાઈ માધોપુરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝગમગાટ અને ખતરનાક છે. સ્થાનિક સુત્રો અનુસાર, ડૂબી ગયેલા લોકો માટે મોટી જાનહાનિનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાએ નદીઓમાં બોટિંગ દરમિયાન સલામતીના નિયમો પાલનતા પર ફરીથી spotlight મૂકી છે.

 

The post સવાઈ માધોપુરમાં બોટ પલટી, નદીમાં 7 લોકો લાપતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/sawai-madhopur-boat-capsize/feed/ 0