રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...
Tag: india news gujarati
રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા...
સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર
સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી...
જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે
ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે...
વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...
સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...
સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો
સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને...
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...









