India Ukraine relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-ukraine-relations/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 04:56:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Ukraine relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-ukraine-relations/ 32 32 વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/#respond Sun, 31 Aug 2025 04:56:43 +0000 https://www.gujaratinside.com/?p=17854 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું....

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.”

જવાબમાં, ઝેલેન્સ્કીએ ‘X’ પર જણાવ્યું કે તેમણે પીએમ મોદીને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુરોપીય નેતાઓ સાથે થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે યુક્રેન રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે તૈયાર છે, પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેત આપ્યા નથી અને નાગરિકો પર હુમલાઓ ચાલુ રહ્યા છે. ઝેલેન્સ્કીએ પીડિતોના પરિવારો માટે વડાપ્રધાન મોદા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા બંને નેતાઓએ પોતાની સ્થિતિનું સંકલન કર્યું હોવાનું જણાવ્યું.

 

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/feed/ 0
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ભારતની ભૂમિકા પર ઝેલેન્સ્કીનો વિશ્વાસ https://www.gujaratinside.com/2025/08/26/zelensky-trusts-india-to-end-russia-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/26/zelensky-trusts-india-to-end-russia-ukraine-war/#respond Tue, 26 Aug 2025 14:50:04 +0000 https://www.gujaratinside.com/?p=17386 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલી શુભકામનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે યુક્રેનને વિશ્વાસ છે કે ભારત રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા X પોસ્ટમાં લખ્યું કે યુક્રેન શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણને બિરદાવે છે. તેમણે વધુમાં...

The post રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ભારતની ભૂમિકા પર ઝેલેન્સ્કીનો વિશ્વાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલી શુભકામનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે યુક્રેનને વિશ્વાસ છે કે ભારત રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા X પોસ્ટમાં લખ્યું કે યુક્રેન શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણને બિરદાવે છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયા જ્યારે આ ભયાવહ યુદ્ધનો અંત લાવવા અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે, ત્યારે ભારતનો યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના અનુસાર, વ્યૂહાત્મક નિર્ણયો માત્ર યુરોપમાં જ નહીં, પણ હિંદ-પેસેફિક ક્ષેત્રની સુરક્ષામાં પણ વધારો કરે છે.

વડાપ્રધાન મોદીએ 16 ઓગસ્ટે યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિશીલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ઝેલેન્સ્કીની શુભેચ્છાઓ બદલ પ્રતિભાવ આપતા X પર લખ્યું હતું કે, “ભારત અને યુક્રેન વચ્ચે વધુ ગાઢ સંબંધો બનાવવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. યુક્રેનના મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલું ભવિષ્ય ઈચ્છીએ છીએ.”

 

ઝેલેન્સ્કીએ મંગળવારે વડાપ્રધાન મોદીની તરફથી મળેલો પત્ર પણ જાહેર કર્યો, જેમાં પીએમ મોદીએ યુક્રેનને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે અને સંવાદ તથા રાજદ્વારી દ્વારા યુદ્ધના વહેલા અને સ્થાયી ઉકેલ માટેના પ્રયત્નોને સંપૂર્ણ સમર્થન આપશે. પીએમ મોદીએ ઉમેર્યું કે ગયા વર્ષે કિવની મુલાકાતને યાદ કરીને તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતુર છે.

 

The post રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ભારતની ભૂમિકા પર ઝેલેન્સ્કીનો વિશ્વાસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/zelensky-trusts-india-to-end-russia-ukraine-war/feed/ 0
પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/ https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/#respond Sun, 24 Aug 2025 04:25:34 +0000 https://www.gujaratinside.com/?p=17114 રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના...

The post પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત તટસ્થ નીતિ જાળવીને બંને દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે અંતે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લેશે તેવી પુષ્ટિ થઈ છે. તે સાથે જ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીની ભારત મુલાકાત અંગે પણ સંકેત મળ્યા છે.

યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના કુતુબ મિનારને યુક્રેનના ધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને બંને પક્ષો હાલમાં મુલાકાતની તારીખ નક્કી કરવા પર ચર્ચા કરી રહ્યા છે.

બીજી તરફ, પુતિનની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા ગરમ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પુષ્ટિ કરી હતી કે પુતિન 2025ના અંત સુધી ભારત આવશે. આ મુલાકાત એવા સમયે થવાની છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી પર નારાજગી વ્યક્ત કરી છે અને ભારત પર ટેરિફમાં 50% વધારો કર્યો છે. ભારતે આ નિર્ણયને ‘અતાર્કિક’ ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ નહીં કરે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત-અમેરિકા વેપાર કરારની વાટાઘાટોમાં ભારત તેના હિતોથી પાછું નહીં હટે. તેમણે કહ્યું કે ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોને નુકસાન પહોંચાડે તેવો કોઈ કરાર ભારત કરશે નહીં. તેમણે ઉમેર્યું કે હાલ ભારત-અમેરિકા સંબંધો સામે ત્રણ પડકાર છે: વેપાર અને ટેરિફનો મુદ્દો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને પાકિસ્તાન અંગે અમેરિકાનો હસ્તક્ષેપ.

જયશંકરે આ પણ કહ્યું કે ટ્રમ્પની વિદેશ નીતિ અગાઉના પ્રમુખોથી સંપૂર્ણપણે જુદી છે અને દુનિયાએ આવા અમેરિકન પ્રમુખને ક્યારેય નથી જોયા જે આટલી ખુલ્લેઆમ નીતિ સંચાલન કરે છે.

 

The post પુતિન પછી ઝેલેન્સ્કી પણ ભારત આવશે, બંને દેશોના પ્રમુખોની મુલાકાતથી વધશે વ્યૂહાત્મક ભાગીદારી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/putin-and-zelensky-to-visit-india-strengthen-ties/feed/ 0