Indian Astronaut Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-astronaut/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 14:43:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Astronaut Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-astronaut/ 32 32 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/ https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/#respond Mon, 18 Aug 2025 14:43:08 +0000 https://www.gujaratinside.com/?p=16610 નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમણે કહ્યું કે આજે આખો...

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સંસદના ગૃહમાં આજે વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હોવા છતાં, આ હંગામા વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે ભારત માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.

તેમણે કહ્યું કે આજે આખો દેશ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ વિપક્ષ હજી પણ હોબાળો કરી રહ્યો છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. જીતેન્દ્ર સિંહે પ્રશ્ન કર્યો કે, “વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?”

હંગામાને કારણે સંસદની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. બપોરે 2 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થતાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ “ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી – વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા” વિષય પર ચર્ચા શરૂ કરી હતી. આ ચર્ચા દરમિયાન જીતેન્દ્ર સિંહે અંતરિક્ષ ક્ષેત્રે ભારતના ભવિષ્ય વિશે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી.

 

The post 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે: કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/indian-astronaut-to-land-on-moon-by-2040/feed/ 0
ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/ https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/#respond Sat, 16 Aug 2025 13:56:46 +0000 https://www.gujaratinside.com/?p=16469 ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર...

The post ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે, જ્યાં તેમના સન્માનમાં ભવ્ય રોડ શો યોજાશે.

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને છેલ્લા એક વર્ષથી અમેરિકા સ્થિત હતા. તેમણે Axiom-4 મિશન માટે તાલીમ લીધી હતી અને 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાથી સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ દ્વારા લોન્ચ થયા હતા. તેઓ 26 જૂનના રોજ ISS પર પહોંચ્યા અને 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા. 18 દિવસના આ મિશનમાં શુભાંશુએ 60થી વધુ પ્રયોગો કર્યા અને 20 જાગૃતિ સત્રોમાં ભાગ લીધો. મિશન દરમિયાન તેમના સાથીઓમાં નાસાના પેગી વ્હિટસન (અમેરિકા), સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નિવ્સ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) સામેલ હતા.

25 ઑગસ્ટે શુભાંશુ લખનઉ પહોંચશે, જ્યાં એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી રોડ શો યોજાશે. શુભાંશુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મિશન પૂર્ણ થયા પછી સાથીદારોથી વિદાય લેવી મુશ્કેલ હતી, પણ ઘરે પરત ફરવાનો આનંદ અનોખો છે. શુભાંશુએ ફિલ્મ સ્વદેશની પંક્તિઓનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, “જીવન ગાડી છે સમય ચક્ર,” અને કહ્યું કે અવકાશમાં શીખેલું એક મહત્ત્વનું પાઠ એ છે કે જીવનમાં બદલાવ કાયમી છે.

ભારત પરત આવ્યા પછી શુભાંશુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 22-23 ઑગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં ભાગ લેશે. લખનઉમાં તેમના પરિવાર અને જનતા તેમની ભવ્ય આવક માટે આતુર છે.

 

The post ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/shubhanshu-shukla-returns-to-india-meet-pm-modi-roadshow-lucknow/feed/ 0