દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું...
Tag: Indian Politics
એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો...
ભાજપનો રાહુલ ગાંધી પર પ્રહાર: કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ હોવાનો આરોપ
નવી દિલ્હી: ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર-ID કાર્ડ છે. તેમણે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ અભિયાન પર પણ સવાલ ઉઠાવતા દાવો કર્યો કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું...
‘જે જનતાને મૂર્ખ બનાવી શકે, તે જ સારો નેતા’: નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના સ્પષ્ટ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં તેમણે નેતાઓને લગતી એક ચોંકાવનારી વાત કરી અને જણાવ્યું કે, “જે વ્યક્તિ લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સારો નેતા બની શકે છે.” ગડકરીએ કહ્યું કે વાતો કરવી સહેલું છે, પરંતુ કામમાં સત્ય...
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા પછી જગદીપ ધનખડ છતરપુર ફાર્મહાઉસમાં શિફ્ટ થશે
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને છતરપુર એન્ક્લેવમાં INLD પ્રમુખ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવા જઈ રહ્યા છે. સોમવારે ધનખડ ધૌલા કુઆન સ્થિત આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા માટે બહાર જોવા મળ્યા હતા. સૂત્રો અનુસાર, 21 જુલાઈએ રાજીનામા પછીથી ધનખડ જાહેરમાં ઓછી હાજરી આપી રહ્યા હતા...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000
જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે. નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000...
‘વડાપ્રધાન પાસેથી એવી અપેક્ષા નહોતી…’, મમતા બેનર્જીનો પીએમ મોદી પર તીવ્ર પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કડક પ્રહાર કર્યા છે. પૂર્વ બર્ધમાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં મમતાએ વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને કહ્યું: “મને ક્યારેય અપેક્ષા નહોતી કે વડાપ્રધાન પોતાની ખુરશીનો અપમાન કરશે અને રાજ્યના લોકોને ‘ચોર’ કહીને સમગ્ર બંગાળનું અપમાન કરશે.” મમતાએ ભારપૂર્વક જણાવ્યું: “હું તેમની ખુરશીનું સન્માન કરું...
મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો
લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે...
PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ
વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની ધરપકડ અને 30 દિવસ સુધી જેલમાં રહેવા પર પદ પરથી હટાવવાના 130મો બંધારણ સુધારો બિલ 2025 પર વિપક્ષને ફરી ઝટકો લાગ્યા છે. આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) માં મોકલવાના પ્રસ્તાવ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ ઊભા થયા છે. પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)એ સમિતિમાં સહભાગી ન થવાનો નિર્ણય કર્યો,...
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ
કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...









