Jaish-e-Mohammed Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaish-e-mohammed/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 11:00:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Jaish-e-Mohammed Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/jaish-e-mohammed/ 32 32 જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું https://www.gujaratinside.com/2025/09/17/jaish-commander-reveals-masood-azhar-mastermind-parliament-26-11-attacks/ https://www.gujaratinside.com/2025/09/17/jaish-commander-reveals-masood-azhar-mastermind-parliament-26-11-attacks/#respond Wed, 17 Sep 2025 11:00:52 +0000 https://www.gujaratinside.com/?p=19478 ભારત માટે મહત્વપૂર્ણ એવી એક મોટી કબૂલાત સામે આવી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ કમાન્ડરે સ્વીકાર્યું છે કે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર 2001ના દિલ્હી સંસદ હુમલા અને 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ કબૂલાતથી ભારતના વર્ષોથી થતા દાવાઓને વાસ્તવિકતા મળી છે કે અઝહર પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવતા આતંકવાદી...

The post જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત માટે મહત્વપૂર્ણ એવી એક મોટી કબૂલાત સામે આવી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ કમાન્ડરે સ્વીકાર્યું છે કે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર 2001ના દિલ્હી સંસદ હુમલા અને 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો.

આ કબૂલાતથી ભારતના વર્ષોથી થતા દાવાઓને વાસ્તવિકતા મળી છે કે અઝહર પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવતા આતંકવાદી કાવત્રાં ચલાવી રહ્યો છે.

કમાન્ડર મુજબ, મસૂદ અઝહર, જેને ડિસેમ્બર 1999માં ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ IC-814ના હાઇજેકિંગ બાદ ભારતીય કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો, તે પાકિસ્તાન પરત જઈ જૈશ-એ-મોહમ્મદને ફરીથી સંગઠિત કરવા લાગ્યો. પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં તેણે પોતાના ઓપરેશનલ હબ તૈયાર કર્યા, જ્યાંથી મોટા આતંકવાદી હુમલાઓની યોજના બની અને અમલમાં મુકાઈ.

કમાન્ડરે ખુલાસો કર્યો કે અઝહરને આતંકવાદી વર્તુળોમાં “અમિર-ઉલ-મુજાહિદ્દીન” તરીકે ઓળખવામાં આવતો હતો અને તેણે 2001ના સંસદ હુમલા અને 26/11ના મુંબઈ હુમલામાં સીધી ભૂમિકા ભજવી હતી. સંસદ હુમલા બાદ ભારત-પાકિસ્તાન યુદ્ધની કગાર પર આવી ગયેલા અને 26/11ના હુમલામાં 170થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા હતા.

ખુલાસામાં વધુમાં જણાવાયું કે “ઓપરેશન સિંદૂર”, જે પાહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે હાથ ધર્યું હતું, તેમાં ભારતીય દળોએ બહાવલપુર અને મુરીદકેમાં આવેલા જૈશના મુખ્યાલયને નિશાન બનાવ્યા હતા. કમાન્ડરે કબૂલ્યું કે આ હુમલાઓમાં મસૂદ અઝહરના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા હતા, જે ભારતની કાઉન્ટર-ટેરર ઓપરેશન્સની અસર દર્શાવે છે.

આ કબૂલાતથી પાકિસ્તાન પર વૈશ્વિક સ્તરે દબાણ વધી શકે છે, કારણ કે તે સતત પોતાની ધરતી પર આતંકવાદીઓને આશ્રય આપવાનો ઇનકાર કરતું રહ્યું છે. બીજી તરફ, ભારત માટે આ નિવેદન તેના ગુપ્તચર તંત્રના મૂલ્યાંકનને માન્યતા આપે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન આધારિત આતંકવાદના મુદ્દાને વધુ મજબૂત બનાવે છે.

મસૂદ અઝહર પહેલેથી જ યુનાઈટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર છે અને ભારતના સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.

હવે તેની પોતાની સંસ્થાના કમાન્ડરની કબૂલાત તેને બે સૌથી મોટા આતંકવાદી હુમલાઓ સાથે સીધો જોડે છે, જે વૈશ્વિક આતંકવાદ વિરોધી લડતમાં એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાય છે.

 

The post જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/jaish-commander-reveals-masood-azhar-mastermind-parliament-26-11-attacks/feed/ 0
બિહારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/28/bihar-three-jaish-e-mohammed-terrorists-infiltrated-high-alert/ https://www.gujaratinside.com/2025/08/28/bihar-three-jaish-e-mohammed-terrorists-infiltrated-high-alert/#respond Thu, 28 Aug 2025 12:34:55 +0000 https://www.gujaratinside.com/?p=17599 રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમ્યાન બિહારમાં સુરક્ષા જાગૃતિ વધારી દેવા જેવી ઘટના સામે આવી છે. બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે નેપાળ મારફતે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી રાજ્યમાં ઘૂસ્યા છે. હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન દ્વારા રાજ્યમાં મોટું હુમલો કરવાની શક્યતા જણાઈ છે. બિહાર હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા સ્કેચ મુજબ,...

The post બિહારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમ્યાન બિહારમાં સુરક્ષા જાગૃતિ વધારી દેવા જેવી ઘટના સામે આવી છે. બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે નેપાળ મારફતે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી રાજ્યમાં ઘૂસ્યા છે. હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન દ્વારા રાજ્યમાં મોટું હુમલો કરવાની શક્યતા જણાઈ છે.

બિહાર હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા સ્કેચ મુજબ, હસનૈન અલી રાવલપીંડીનો રહેવાસી છે, આદિલ હુસૈન ઉમરકોટનો અને મોહમ્મદ ઉસ્માન બહવલપુરનો રહેવાસી છે. આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા અને ત્રીજા સપ્તાહે નેપાળ સરહદ મારફતે બિહારમાં પ્રવેશ્યા. તેમની પાસપોર્ટ અને ઓળખ સંબંધિત વિગતો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને સરહદ પર ખાસ સાવચેતી રાખી છે. ભાગલપુર આસપાસના અરરિયા, કિશનગંજ, સુપૌલ, મઘુબની, સીતામઢી, પૂર્વીય અને પશ્ચિમ ચંપારણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બિહારમાં વર્ષના અંતે ચૂંટણી યોજાનારી હોવાથી, આ ઘટના પૂર્વ ચેતવણીના રૂપમાં ગણવામાં આવી રહી છે.

 

The post બિહારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/bihar-three-jaish-e-mohammed-terrorists-infiltrated-high-alert/feed/ 0
ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/ https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/#respond Wed, 06 Aug 2025 11:43:29 +0000 https://www.gujaratinside.com/?p=15939 ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો...

The post ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે.

જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે તમામ લોકોને સાથે મળીને કાર્ય કરવું જોઈએ અને પૈસા ભેગા કરવા જોઈએ, જેમાં કોઈને ખબર ન પડે કે કોણે કેટલું યોગદાન આપ્યું છે.

મસૂદ અઝહરે પણ એક પોસ્ટમાં લખ્યું કે આ અભિયાનથી “જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે, શહીદ થયેલી મસ્જિદો ફરી હસશે અને તેમનો વૈભવ પાછો આવશે.” સાથે જ તેણે જેહાદ માટે ઝંખતા લોકોને નવા રસ્તા ખૂલશે તેવી વાત પણ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ બહાવલપુરમાં આવેલા જૈશના મુખ્યાલય ‘સુભાન અલ્લાહ મસ્જિદ’ને તોડી નાખી હતી, જેમાં મસૂદ અઝહરના પરિવાર સહિત મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

The post ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/feed/ 0
પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/ https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/#respond Sun, 03 Aug 2025 16:26:35 +0000 https://www.gujaratinside.com/?p=15868 જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે.

કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર કુલગામમાં હાથ ધરાયેલા ઓપરેશન ‘અકાલ’માં લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા. તેમાં કુલગામનો જાકિર અહમદ ગની, સોપોરનો કેટેગરી-એ આતંકી આદિલ રહમાન ડેંટૂ અને પુલવાનું હરીશ ડાર સામેલ હતા.

સાંબા જિલ્લામાં સાત આતંકવાદી ઠાર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે અથડામણમાં સાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ જૈશના નેટવર્ક માટે મોટો ઝટકો ગણાય છે.

શોપિયા અને ત્રાલમાં ત્રણ-ત્રણ આતંકી ઠાર: શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં લશ્કરના ત્રણ ટોચના આતંકવાદી શાહિદ કુટ્ટે, અદનામ શફી ડાર અને આમિર બશીર ઠાર થયા. ત્રાલના જંગલ વિસ્તારમાં જૈશના આતંકી આસિફ અહમદ શેખ, આમિર નજીર વાની અને યાવર અહમદ ભટ્ટને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

ઓપરેશન મહાદેવ અને શિવશક્તિમાં પાંચ આતંકી ઠાર: મુલનાર ગામમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, અફગાન અને જિબરાનને ઠાર કરાયા. આ આતંકીઓ પહલગામ હુમલામાં સંડોવાયેલા હતા. ત્યારબાદ ઓપરેશન શિવશક્તિ હેઠળ બે પાકિસ્તાની ઘૂસણખોર આતંકવાદીઓને ઠાર કરાયા.

ભારતીય સેનાની આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને મોટો ઝટકો આપનારી સાબિત થઈ છે.

The post પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/indian-army-kills-21-terrorists-pahalgam-encounters/feed/ 0