જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે...
