Kashmir Terrorism Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kashmir-terrorism/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 30 Jul 2025 16:50:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Kashmir Terrorism Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/kashmir-terrorism/ 32 32 ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/ https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/#respond Wed, 30 Jul 2025 16:50:42 +0000 https://www.gujaratinside.com/?p=15742 સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું,

“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન સિંદૂર?’

ચર્ચા દરમિયાન જયા બચ્ચને પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો,

“જ્યારે આ હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો ઓપરેશનનું નામ ‘સિંદૂર’ કેમ રાખવામાં આવ્યું?”
તેમણે સરકારની નામકરણ નીતિ પર તીખી ટીકાની કરી અને જણાવ્યું કે સત્તાધારી પક્ષ એવા લેખકો રાખે છે જે “મોટા-મોટા નામ આપે છે.”

‘કલમ 370 બાદ શું બદલાયું?’

જયા બચ્ચને સરકાર પર આરોપ લગાવ્યો કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદનો ખાતમો થશે તેવી છાતી ઠોકી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં હુમલા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ.

“જે પ્રવાસીઓ પહલગામ ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા? 25 જીવ બચાવી શક્યા નહીં અને તે પરિવારો તમને ક્યારેય માફ નહીં કરે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે સરકારને આતંકી હુમલાના ભોગ બનેલા પરિવારોની માફી માંગવાની સલાહ આપી.

પ્રિયંકા ચતુર્વેદી સાથે તણાવપૂર્ણ ક્ષણ

ભાષણ દરમિયાન જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો ટોકવા લાગ્યા, ત્યારે જયા બચ્ચન ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું,

“તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી તમારી જીભ પર કાબૂ રાખો.”
આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જયા બચ્ચને તીખો પ્રતિકાર આપ્યો:
“પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.”

પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

The post ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/jaya-bachchan-slams-government-operation-sindoor-priyanka-chaturvedi-parliament/feed/ 0
‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/ https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/#respond Wed, 30 Jul 2025 16:45:22 +0000 https://www.gujaratinside.com/?p=15739 રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.” કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે...

The post ‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.”

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ

અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ માત્ર ભાજપ સરકાર જ પૂર્ણ કરશે.

ઓપરેશન મહાદેવ અને સુરક્ષા દળોની બહાદુરી

ચર્ચા દરમિયાન તેમણે ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં મારી નાખ્યા.

“જેમ તેમણે નિર્દોષોના માથામાં ગોળી મારી હતી, તેવી જ રીતે સુરક્ષા દળોએ તેમની ખોપરી ઉડાવી દીધી,” શાહે કહ્યું.
તેમણે જણાવ્યું કે “હર હર મહાદેવ” ફક્ત ધાર્મિક નારો નથી, પરંતુ સુરક્ષા દળોનો ઉદઘોષ છે.

કટિબદ્ધતા: કાશ્મીરને આતંકવાદમુક્ત કરવું

અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ કાશ્મીરને સંપૂર્ણ રીતે આતંકવાદથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે હવે આતંકવાદીઓનો ખાત્મો કરવાનો સમય આવી ગયો છે અને સરકાર આ દિશામાં સતત કાર્યરત છે.

સેનાનાં શોર્યને સલામ

શાહે રાજ્યસભામાં જણાવ્યું કે 7 મેના રોજ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના 8 એરબેઝ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ધ્વસ્ત કર્યા.

“પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું અને તેના ડીજીએમઓએ અમારી ડીજીએમઓને ફોન કરીને હુમલો રોકવા વિનંતી કરી,” તેમણે જણાવ્યું.

કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર

અમિત શાહે પી. ચિદમ્બરમને નિશાન બનાવી જણાવ્યું કે તેઓ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનો પુરાવો માંગતા હતા.

“જ્યાં સુધી પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યાં સુધી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ન હતી,” શાહે કહ્યું.
તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માટે દેશની સુરક્ષા પ્રાથમિકતા નહીં, પરંતુ રાજકારણ છે.

The post ‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/amit-shah-operation-sindoor-congress-pok-statement/feed/ 0