મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....




