Modi Government Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/modi-government/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 12:23:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Modi Government Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/modi-government/ 32 32 ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/ https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/#respond Wed, 10 Sep 2025 12:45:41 +0000 https://www.gujaratinside.com/?p=19029 બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન...

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા મુસાફરીમાં લગભગ એક કલાકનો સમય બચશે.

આ સાથે જ 3,169 કરોડના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈન (177 કિમી) ના નિર્માણને પણ મંજૂરી મળી છે, જે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને સીધી કનેક્ટિવિટી આપશે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા કુલ 11 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો એક ભાગ છે, જે રોજગાર તકો વધારશે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

ચૂંટણી પૂર્વે આવી જાહેરાતો પર ઉઠેલા સવાલોના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટ્સને માત્ર ચૂંટણી રાજ્યો માટે જ નહીં પરંતુ દેશના વિવિધ ભાગોમાં પણ મંજૂરી આપવામાં આવી રહી છે.

 

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/feed/ 0
RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/ https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/#respond Fri, 29 Aug 2025 12:15:33 +0000 https://www.gujaratinside.com/?p=17691 RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો...

The post RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો છે.

કિસાન સંઘે જણાવ્યું કે, ભારતમાં વાર્ષિક 320 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક માંગ 391 લાખ ગાંસડીની છે. ભારત દર વર્ષે માત્ર 60 થી 70 લાખ ગાંસડી કપાસ આયાત કરે છે, એટલે કે, કુલ કપાસની માત્ર લગભગ 12 ટકા આયાત થાય છે. ભારતીય કિસાન સંઘે ચેતવણી આપી છે કે, આયાત પર મુક્તિ ચાલુ રાખીશું તો ભારત આગામી વર્ષોમાં કપાસનો નિકાસકાર બનવાના બદલે મોટો આયાતકાર દેશ બની જશે.

ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ વર્ષે કપાસના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ 3.2 ટકા ઘટ્યો છે. સ્થાનિક કપાસની ઉપલબ્ધતા વધવા જોઈએ નહીં તો ભારત નિકાસકારને બદલે આયાતકાર બની જશે. કપાસની કિંમત પહેલેથી જ 7000 રૂપિયાથી ઘટીને 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જો આયાત પર કરમુક્તિ ચાલુ રહેશે, તો ભાવ વધુ ઘટી શકે છે. વિદેશથી 2000 રૂપિયાના ભાવમાં કપાસ આવે તો સ્થાનિક કિસાન પાસેથી 5000 રૂપિયામાં કપાસ વેચવું મુશ્કેલ બનશે.

યાદ રહે, નાણામંત્રાલયે અગાઉ 11 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આયાત પર છૂટ આપી હતી, હવે તેને વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી મોહન મિત્રાએ જણાવ્યું કે, સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. આયાત પર સબસિડી ચાલુ રહે તો ભારત કપાસમાં વિદેશી બજાર બની જશે અને સ્થાનિક ઉત્પાદન પાછળ રહી જશે.

 

The post RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/feed/ 0
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/ https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/#respond Thu, 07 Aug 2025 03:34:09 +0000 https://www.gujaratinside.com/?p=15973 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન સહિતના દેશો પણ રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદે છે તો ફક્ત ભારત પર જ ટેરિફ કેમ? તો ટ્રમ્પે જવાબમાં કહ્યું કે, “હજુ તો ફક્ત 8 કલાક થયા છે… આગળ તમે ઘણું જોવાનો બાકી છે. ઘણા ‘સેકન્ડરી સૈંક્શન્સ’ આવશે.”

ટ્રમ્પે ચીન પર પણ આવાં પગલાંની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારત ચીન પછી બીજે ક્રમે છે. આપણે જે ભારત સાથે કર્યું છે તે અન્ય દેશો પર પણ લાગુ થશે.” તેમના વહીવટીતંત્ર અનુસાર, ભારત રશિયાનું યુદ્ધ યંત્ર ચાલુ રાખવામાં ઈંધણ પુરું પાડી રહ્યું છે. ટ્રમ્પે આરોપ મૂક્યો કે, ભારત રશિયા દ્વારા યુદ્ધ ચલાવવાના સાધનને ફંડિંગ આપી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોએ પણ ટેરિફ વધારાના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે, “આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.” ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે ભારતે રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ના પાડી છે, જેને કારણે આ સખત નીતિ અપનાવવી પડી છે.

ટ્રમ્પે 30 જુલાઈએ પ્રથમ વખત 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટથી લાગૂ થશે. ત્યારબાદ, 6 ઓગસ્ટે વધુ એક 25% ટેરિફ જાહેર કરાઈ છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ રીતે, ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. ચીન માટે, તેમણે હાલમાં ટેરિફ 90 દિવસ માટે સ્થગિત રાખ્યું છે.

વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે ભારત રશિયન ઓઇલ ખરીદે છે. ભારતના કહેવા પ્રમાણે, 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવી તે દેશની પ્રથમતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ફક્ત ભારતને ટારગેટ કરવું ન્યાયસંગત નથી અને ભારત તમામ રાષ્ટ્રીય હિતોને રક્ષવા માટે જરૂરી પગલાં લેશે.

The post ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/trump-threatens-secondary-sanctions-after-india-tariff/feed/ 0
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/ https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/#respond Wed, 23 Jul 2025 16:30:45 +0000 https://www.gujaratinside.com/?p=15123 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતો તેમજ પશુપાલકોના હકોના મુદ્દે સરકારને ઘેરી હતી.

અરવિંદ કેજરીવાલે જાહેરમાં કહ્યું કે, “30 વર્ષના શાસન પછી ભાજપનો ભ્રષ્ટાચાર અને અહંકાર ચરમસીમાએ છે. ખેડૂતો અને પશુપાલકો પોતાની યોગ્ય માંગણી માટે રેલી કરે છે ત્યારે તેમના પર લાઠીચાર્જ થાય છે અને તેઓ માર્યા જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર દ્વારા હજુ પણ મૃતક અશોક ચૌધરીના પરિવારને વળતર મળ્યું નથી. “ભાજપના નેતાઓ ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મહેલ બનાવી રહ્યા છે,” એવો આક્ષેપ કરી તેઓએ દેડિયાપાડા ખાતે ચૈતરભાઈ વસાવાની સભામાં હાજરી આપવાની જાહેરાત પણ કરી.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તીખો પ્રહાર કરતા આરોપ મૂક્યો કે, “C.R. પાટીલે કમલમ બનાવવા માટે ગુજરાતભરમાં જમીનો ખરીદવામાં ગરીબ ખેડૂતના હકના પૈસાનો દુરુપયોગ કર્યો છે.” તેમણે કહ્યું કે, આઝાદી પછી પણ જો ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ઇશુદાન ગઢવીએ ચેતવણી આપી કે, “ભાજપે જેમ કાંગ્રેસે કરેલી ભૂલ પુનરાવૃત્તિ કરીને ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કર્યા છે, તેનું પરિણામ 2027ની ચૂંટણીમાં ભોગવવું પડશે.” તેમણે સાબર ડેરીની ઘટનાને ભાજપના અહંકારનું જીવું ઉદાહરણ ગણાવ્યું.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં ખેડૂતો અને પશુપાલકોના મુદ્દાને લઈને રણનીતિ બનાવવામાં આવશે.

The post અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/arvind-kejriwal-bhagwant-mann-gujarat-visit-attacks-bjp/feed/ 0