Monsoon Session 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-session-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 24 Jul 2025 05:12:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Monsoon Session 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/monsoon-session-2025/ 32 32 સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી! https://www.gujaratinside.com/2025/07/24/parliament-disruption-costs-23-crore-monsoon-session-2025/ https://www.gujaratinside.com/2025/07/24/parliament-disruption-costs-23-crore-monsoon-session-2025/#respond Thu, 24 Jul 2025 05:12:41 +0000 https://www.gujaratinside.com/?p=15148 દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ...

The post સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશની સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થયું છે, પરંતુ સતત ત્રણ દિવસ સુધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ ન થઈ શક્યું. વિપક્ષે ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો અને ટ્રમ્પના નિવેદનો જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો. પરિણામે સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. PRS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંસદની એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ અંદાજે ₹2.5 લાખ થાય છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યસભામાં માત્ર 4.4 કલાક અને લોકસભામાં માત્ર 54 મિનિટ કાર્યવાહી થઈ. આના લીધે રાજકીય ઉદાસીનતાનો ભાવ આપતા કરદાતાઓના આશરે ₹23 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે — જેના વિના કોઈ ઉત્પાદન થયું નહીં.

બુધવારે, ત્રીજા દિવસે વિપક્ષે બિહારમાં મતદારોના વેરિફિકેશનના મુદ્દે હોબાળો મચાવ્યો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદો વેલ સુધી આવી ગયા હતા, જેને કારણે બંને ગૃહોની કાર્યવાહી ફરીથી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભામાં અંદાજે ₹10 કરોડ અને લોકસભામાં ₹12.83 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું અંદાજ છે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, પણ વિપક્ષ સહકાર આપતો નથી. બીજી બાજુ કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો કે બિહારમાં 52 લાખ મતદારોને વિમુખ કરવા સરકાર કાવતરુ કરી રહી છે અને તેઓ આ મુદ્દે માત્ર ચર્ચાની માંગ કરી રહ્યાં છે.

The post સંસદની કાર્યવાહી ઠપ: 3 દિવસમાં પ્રજાના 23 કરોડ રૂપિયા પર પાણી! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/24/parliament-disruption-costs-23-crore-monsoon-session-2025/feed/ 0
સંવિધાનના અનુચ્છેદ 67(A) મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપ્યું તાત્કાલિક રાજીનામું, સ્વાસ્થ્યને બનાવ્યું કારણ https://www.gujaratinside.com/2025/07/21/vice-president-jagdeep-dhankhar-resigns-article-67a/ https://www.gujaratinside.com/2025/07/21/vice-president-jagdeep-dhankhar-resigns-article-67a/#respond Mon, 21 Jul 2025 16:17:21 +0000 https://www.gujaratinside.com/?p=15061 ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપતી વખતે તેમણે બંધારણની કલમ 67 (A) નો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું હતું કે: “આરોગ્ય સંભાળને...

The post સંવિધાનના અનુચ્છેદ 67(A) મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપ્યું તાત્કાલિક રાજીનામું, સ્વાસ્થ્યને બનાવ્યું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપતી વખતે તેમણે બંધારણની કલમ 67 (A) નો ઉલ્લેખ કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું હતું કે:

“આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.”

તેમણે રાષ્ટ્રપતિનો આભાર માનતા કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે તેમનો સુમેળભર્યો અને અદ્ભુત કાર્યકાળ રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તથા મંત્રીમંડળના સહયોગ બદલ પણ તેમણે દિલથી આભાર વ્યક્ત કર્યો.

રાજકીય કારકિર્દી અને પ્રષ્ઠભૂમિ

જગદીપ ધનખડ વર્ષ 2022માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તે પહેલાં તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ (2019-2022) તરીકે સેવા આપી હતી. વર્ષ 1990માં ચંદ્રશેખર સરકારે તેમને સંસદીય બાબતોના રાજ્યમંત્રી બનાવ્યા હતા. તેઓ લોકસભા અને રાજસ્થાન વિધાનસભાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ જેવી વિવિધ પાર્ટીઓ સાથે કામ કર્યું છે.

વ્યક્તિગત જીવન અને શિક્ષણ

જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના કિથાણા ગામમાં થયો હતો. તેમણે ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી બી.એસસી અને એલએલબીની ડિગ્રી મેળવી હતી.

The post સંવિધાનના અનુચ્છેદ 67(A) મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપ્યું તાત્કાલિક રાજીનામું, સ્વાસ્થ્યને બનાવ્યું કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/vice-president-jagdeep-dhankhar-resigns-article-67a/feed/ 0
સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/ https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/#respond Sun, 20 Jul 2025 10:54:10 +0000 https://www.gujaratinside.com/?p=14979 ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે. બધા...

The post સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચોમાસુ સત્રની શરૂઆત પહેલા આજે સંસદ ભવનમાં મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક મળી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ મીડિયાને માહિતી આપી હતી કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પણ ચર્ચા સંસદના નિયમો હેઠળ થશે.

બધા મુદ્દાઓ પર ચર્ચા માટે સરકાર તૈયાર

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે સરકાર કોઈપણ ચર્ચાથી પીછેહઠ કરશે નહીં. “સંસદના ગૃહમાં તમામ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા માટે અમે સજ્જ છીએ,” એમ રિજિજુએ જણાવ્યું. સત્ર સોમવાર, 21 જુલાઈથી શરૂ થશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદી વિશે પણ ચર્ચા

સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષે માંગણી કરી કે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા જેવા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીની હાજરી હોવી જોઈએ. રિજિજુએ જવાબ આપ્યો કે વડાપ્રધાન સીધા ચર્ચામાં ભાગ લે ન લે, પણ તેઓ સંસદ પરિસરમાં હાજર રહે છે.

ચોમાસુ સત્રમાં 17 બિલ રજૂ થશે

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે ચોમાસુ સત્રમાં મોટા અને મહત્વપૂર્ણ 17 બિલ રજૂ કરવામાં આવશે. સરકારના હેતુ મુજબ વિપક્ષના પ્રશ્નોનો પણ સમાધાનપૂર્વક જવાબ આપવામાં આવશે. રિજિજુએ કહ્યું, “સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપશે, પણ દરેક બાબતનો જવાબ મીડિયા સામે નહીં આપી શકાય.”

વિપક્ષ અને શાસક પક્ષ બંનેની જવાબદારી

અંતે મંત્રીએ કહ્યું કે સંસદની કાર્યક્ષમતા બંને પક્ષોની જવાબદારી છે. તેમણે એ પણ કહ્યું કે ઘણી નાની પાર્ટીઓને પણ પોતાનો અવાજ રાખવા પૂરતો સમય મળવો જોઈએ અને સરકાર આ બાબતની પણ સમીક્ષા કરશે.

The post સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સરકાર તૈયાર: કિરેન રિજિજુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/operation-sindoor-discussion-monsoon-session-parliament/feed/ 0