NDRF Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ndrf/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 05 Oct 2025 04:27:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png NDRF Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ndrf/ 32 32 દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/ https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/#respond Sun, 05 Oct 2025 04:27:34 +0000 https://www.gujaratinside.com/?p=20261 પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી.

સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં વહેતા થયા હોવાની શક્યતા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સતત વરસાદની વચ્ચે બચાવ કામગીરીમાં જોડાઈ છે.

આ પુલ સિલિગુડી અને મીરિક વચ્ચેનો મુખ્ય માર્ગ હતો, જે ઉત્તર બંગાળના મહત્વપૂર્ણ પરિવહન નેટવર્કનો હિસ્સો છે. પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

દાર્જિલિંગ જિલ્લા પ્રશાસનએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા ભારે વરસાદને કારણે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને નદીકાંઠાના રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને પ્રશાસનને ઝડપી રાહત તથા વળતર પહોંચાડવા માટે સૂચના આપી છે.

આ ઘટના ફરી એકવાર ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જુના પુલો અને રસ્તાઓની સુરક્ષા પર પ્રશ્નો ઊભા કરે છે, જ્યાં મોસમી વરસાદથી ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ વારંવાર સર્જાતી રહે છે.

The post દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/10/05/balason-river-bridge-collapse-darjeeling-6-dead/feed/ 0
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/ https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/#respond Tue, 02 Sep 2025 13:18:12 +0000 https://www.gujaratinside.com/?p=18136 ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 એલર્ટ અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજની વિગતો પણ આપવામાં આવી હતી.

NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિમાં આવી શકે તેવી કટોકટી માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRF ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે.

આબોહવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા તાલુકામાં 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ, 140 તાલુકામાં 20થી 40 ઇંચ અને 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે લોકો અને ખેતીવાડીઓને સાવચેત રહેવા આદેશ આપ્યો છે.

 

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/ https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/#respond Thu, 28 Aug 2025 08:20:11 +0000 https://www.gujaratinside.com/?p=17581 જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત...

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.

હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કટરાથી ડોડા સુધી અનેક પુલ, વીજળીના થાંભલા અને મોબાઇલ ટાવર્સને નુકસાન પહોંચ્યું છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરની તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ બચાવ કામગીરી માટે છ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, જેમાં પાંચ Mi-17 અને એક ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સેનાના જવાન અને 10 બીએસએફ જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પઠાણકોટથી 46 નાગરિકોને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા, જ્યારે 750 કિલો રાહત સામગ્રી હવાઈ માર્ગે પહોંચાડવામાં આવી.

જમ્મુના અખનૂર, આરએસપુરા, સાંબા, નગરોટા, કોટ ભલવાલ, બિશ્નાહ, વિજયપુર, પુર્મંડલ, કઠુઆ, રિયાસી, રામબન, ડોડા, બિલાવર, કટરા, રામનગર, હીરાનગર, ગુલ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. ખાસ કરીને જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો છે, જે 1973ના રેકોર્ડને તોડ્યો છે, જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદ નોંધાયો છે, જે 2019ના રેકોર્ડની સરખામણીમાં લગભગ બમણો છે.

NDRF, સ્થાનિક પોલીસ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દિવસ-રાત બચાવ કામગીરીમાં તત્પર છે. ભારતીય વાયુસેનાના C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા ફસાયેલા વિસ્તારોમાં પીવાનું પાણી અને ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

 

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/jammu-kashmir-heavy-rain-landslide-rescue/feed/ 0
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/ https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/#respond Tue, 26 Aug 2025 12:29:33 +0000 https://www.gujaratinside.com/?p=17373 જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે...

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

મંગળવારે અર્ધકુંવારી નજીક પણ ભૂસ્ખલન થયું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દરબાર તરફ જઈ રહ્યા હતા. કાટમાળ અને મોટા પથ્થર રસ્તા પર ખસકી પડ્યા, જેના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હાલ ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે NDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે. સ્થિતિ સામાન્ય થતાં યાત્રા ફરી શરૂ થશે.

 

સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ડોડા અને કિશ્તવાડમાં અનેક રોડ બંધ થઈ ગયા છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. રામબન વિસ્તારમાં પણ ભૂસ્ખલનના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થયો છે. ભારે વરસાદ સાથે જમ્મુમાં તીવ્ર પવન ફૂંકી રહ્યો છે અને તાવી નદીમાં વધેલા પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. નદી કિનારાના ઘણા વિસ્તારોને ખાલી કરાવીને લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.

વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ માટે એલર્ટ જાહેર કર્યું છે. યાદગાર છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટતા 65 લોકોના મોત થયા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓની બસો, તંબુઓ અને દુકાનો પૂરથી ધોવાઈ ગઈ હતી.

 

 

The post જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/jammu-kashmir-heavy-rain-vaishno-devi-suspension/feed/ 0
ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/ https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/#respond Mon, 25 Aug 2025 11:22:02 +0000 https://www.gujaratinside.com/?p=17270 રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં...

The post ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો અને કુલ 15 લોકો હરણાવ નદીના પાણીમાં ફસાયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું. ફાયર વિભાગે તમામને સલામત બહાર કાઢી દીધા છે. NDRF અને SDRF ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પણ પાણીમાં ફસાયા હતા, જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

હરણાવ જળાશયમાંથી 15,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદી ભયજનક સ્તરે વહી રહી છે. આ વચ્ચે, ગુજરાતમાં ચોમાસું મોસમ બરાબર ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 27.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે વર્ષના 80% વરસાદના સમાન છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોનું સરેરાશ જળસ્તર 78.82 ટકા છે, જેમાંથી 59 જળાશયો છલોછલ ભરાયા છે અને જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

The post ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/feed/ 0