Nirmala Sitharaman Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nirmala-sitharaman/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 13:58:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Nirmala Sitharaman Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/nirmala-sitharaman/ 32 32 GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/ https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/#respond Mon, 22 Sep 2025 15:00:56 +0000 https://www.gujaratinside.com/?p=19885 દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી.

આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલો “નાગરિક દેવો ભવ” સંદેશ સરકાર માટે માર્ગદર્શક છે.

તેમણે સમજાવ્યું કે અગાઉ ભારતના રાજ્યોમાં જુદા જુદા ટેક્સને કારણે વેપારીઓને અનેક મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ GST લાગુ થયા પછી એક જ ટેક્સ સિસ્ટમથી વ્યવસાયમાં પારદર્શિતા અને સરળતા આવી છે.

તેમણે યાદ અપાવ્યું કે 2017માં GST લાગુ પડ્યો હતો, પરંતુ 2019ની ચૂંટણી અને પછીના COVID-19 રોગચાળાને કારણે મોટા સુધારા શક્ય નહોતા.

ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નવા સુધારાઓનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયો. નવા સુધારાથી 375થી વધુ રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.

અગાઉના 5%, 12%, 18% અને 28%ના દરને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ – 5% અને 18% – રાખવામાં આવ્યા છે.

નવા GST સુધારાથી મોટાભાગની રોજિંદી વસ્તુઓ હવે 5%ના સ્લેબમાં આવતાં હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજો ઘટ્યો છે અને ગ્રાહકો માટે જીવનયાપન વધુ સહેલું બન્યું છે.

નાણાપ્રધાને વેપારીઓને ગ્રાહકો પ્રત્યે આદર રાખવા અને ગ્રાહક કેન્દ્રિત વ્યવહાર કરવાની અપીલ કરી.

 

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/feed/ 0
22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/ https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/#respond Sat, 20 Sep 2025 07:00:26 +0000 https://www.gujaratinside.com/?p=19671 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે,...

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે મોટાભાગની આવશ્યક વસ્તુઓ સસ્તી થશે.

લોકોમાં એક મોટો સવાલ LPG સિલિન્ડરના ભાવને લઈને છે. હાલ સરકાર ઘરેલુ LPG સિલિન્ડર પર 5% અને કોમર્શિયલ સિલિન્ડર પર 18% GST વસૂલ કરે છે.

GST કાઉન્સિલે LPG પરના GST દરમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી, એટલે કે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. કોમર્શિયલ LPG પર 18% GST લાગુ છે કારણ કે તેનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં થાય છે.

GST કાઉન્સિલના આ સુધારા 2017 પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવી રહ્યો છે.

FMCG, આરોગ્યસંભાળ ઉત્પાદન, શૈક્ષણિક સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કૃષિ સાધનો, વીમા, ઓટોમોબાઇલ અને ઠંડા પીણાં સહિત અનેક ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે. સુપર લક્ઝરી કાર પર પણ GST દર ઘટાડીને 40% કરવામાં આવ્યો છે.

 

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/feed/ 0
ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી https://www.gujaratinside.com/2025/09/08/india-israel-bilateral-investment-treaty/ https://www.gujaratinside.com/2025/09/08/india-israel-bilateral-investment-treaty/#respond Mon, 08 Sep 2025 12:45:13 +0000 https://www.gujaratinside.com/?p=18766 ભારત અને ઈઝરાયલ વચ્ચે સોમવારે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના હેતુથી બંને દેશોમાં રોકાણકારોને સુરક્ષા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા. ઈઝરાયલના નાણા મંત્રી 8થી 10 સપ્ટેમ્બરે ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. સપાટ મુલાકાત દરમિયાન, સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય...

The post ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને ઈઝરાયલ વચ્ચે સોમવારે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના હેતુથી બંને દેશોમાં રોકાણકારોને સુરક્ષા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા. ઈઝરાયલના નાણા મંત્રી 8થી 10 સપ્ટેમ્બરે ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે.

સપાટ મુલાકાત દરમિયાન, સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે. બંને દેશ દ્વિપક્ષીય બેઠક દ્વારા આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવા માટે તૈયારીમાં છે. BIT ઉપરાંત, મુક્ત વેપાર કરાર (FTA) પર પણ સહમતિની શક્યતા છે.

આ કરારથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે અને વ્યૂહાત્મક સહકાર વધશે. ઈઝરાયલના નાણા મંત્રી મુંબઈ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીનો પણ પ્રવાસ કરશે.

ઈઝરાયલે વર્ષ 2000થી અત્યારસુધી 15 થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સંધિ કરી છે, જેમાં યુએઈ, જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.

ભારત અને ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે દરવર્ષે આશરે 4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે. 2000-2025 દરમિયાન ભારતે ઈઝરાયલમાં કુલ 44.3 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે, જ્યારે ઈઝરાયલના FDI માં ભારતનું યોગદાન 33.42 કરોડ ડોલર રહ્યું છે.

 

The post ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/india-israel-bilateral-investment-treaty/feed/ 0
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/ https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/#respond Thu, 04 Sep 2025 05:40:39 +0000 https://www.gujaratinside.com/?p=18285 નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી.

ચિદમ્બરમે X પર લખ્યું કે, “GSTની હાલની યુક્તિસંગત વ્યવસ્થા શરૂઆતથી જ લાગુ કરવી જોઇતી હતી. અમે છેલ્લા આઠ વર્ષથી વારંવાર ચેતવણી આપતા હતા, પરંતુ અમારી દલીલોને અવગણવામાં આવી હતી. આજે આ ફેરફારોનું સ્વાગત કરવું પડે છે, પરંતુ કહી શકાય કે આ નિર્ણય ઘણો મોડો થયો છે.”

તેમણે સુધારા પાછળના સંભવિત કારણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે અચાનક આ ફેરફારો કેમ કર્યા તે રસપ્રદ છે. “ધીમી આર્થિક વૃદ્ધિ? ઘરગથ્થુ દેવું વધવું? બચતમાં ઘટાડો? બિહારની ચૂંટણી? અથવા ટ્રમ્પના ટેરિફ? કદાચ આ બધું જ?” એમ ચિદમ્બરમે ટિપ્પણી કરી.

જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિદમ્બરમના આ દાવાને નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે GST સુધારાઓનો અમેરિકાના ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી. સીતારમણે કહ્યું કે આ સુધારા દોઢ વર્ષથી ચર્ચામાં હતા અને તેનો સમયસર અમલ હવે કરવામાં આવ્યો છે.

 

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/feed/ 0
“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/#respond Thu, 04 Sep 2025 05:10:44 +0000 https://www.gujaratinside.com/?p=18282 નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.”

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા જેવા દરો પર કામ કરી રહ્યું છે, જેનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાન અંગે તેમણે કહ્યું કે, “વિવિધ આંકડાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ અમે અમારી પાસેના સચોટ ડેટા પર આધાર રાખીએ છીએ.”

56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સરકારે GSTના દરોને તર્કસંગત બનાવીને બે ટેક્સ સ્લેબ – 12% અને 28% – નાબૂદ કર્યા છે. હવે માત્ર 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રહેશે. આ સાથે જ કેટલીક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ઝરદા, ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટેના વિમાનોનો સમાવેશ થાય છે.

આ સુધારાઓથી રોજિંદી વપરાશની વસ્તુઓ વધુ સસ્તી થઈ છે. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તે જ રીતે માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકોની બોટલ, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને મધ્યમ વર્ગને સીધો લાભ મળશે, સાથે સાથે અર્થતંત્રમાં વપરાશ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

 

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/feed/ 0
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/ https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/#respond Thu, 04 Sep 2025 04:48:55 +0000 https://www.gujaratinside.com/?p=18279 નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને તેને “દરેક ભારતીય માટે દિવાળી ગિફ્ટ” તરીકે સંબોધ્યો. તેમણે કહ્યું કે આગામી પેઢીના GST સુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.

PM મોદીએ એક X પોસ્ટમાં જણાવ્યું: “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે દરો અને પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવાનો અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોથી GST કાઉન્સિલે દર ઘટાડા અને સુધારાઓ અંગે સર્વસંમતિથી નિર્ણય લીધો છે. “આ નિર્ણયથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો ફાયદો થશે. વ્યાપક સુધારાઓ નાગરિકોના જીવનમાં સુધારો લાવશે અને ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે,” એમ તેમણે કહ્યું.

 

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/feed/ 0
GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/ https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/#respond Wed, 03 Sep 2025 17:19:36 +0000 https://www.gujaratinside.com/?p=18272 ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...

The post GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે.

જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં

અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને 28% એમ ચાર GST સ્લેબ લાગુ હતા. કાઉન્સિલે 12% અને 28%ના સ્લેબ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે જે પ્રોડક્ટ્સ પર 12% લાગુ પડતો હતો, તે પર 5% લાગશે, જ્યારે જે સામાન પર 28% ટેક્સ લાગતો હતો તેને 18% પર લાવવામાં આવશે. આ બદલાવને કારણે અનેક ઉત્પાદનો ગ્રાહકો માટે સસ્તા થઈ જશે.

લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST

કાઉન્સિલે ખાસ જાહેરાત કરી છે કે લક્ઝરી વસ્તુઓ અને હાનિકારક ઉત્પાદનો (જેમ કે તમાકુ, શરાબ, મોંઘી કાર, સોફ્ટ ડ્રિંક્સ વગેરે) પર 40% GST લાગુ રહેશે. આ વધારાના આવક સ્રોતથી સરકારને સામાન્ય વસ્તુઓ પર કર ઘટાડાથી થનારી ખોટનો ભાગ પુરો થવાની અપેક્ષા છે.

ક્યારે લાગુ થશે?

રિપોર્ટ્સ મુજબ, કાઉન્સિલના આ તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

આર્થિક અસર

નવી કર માળખાને કારણે સરકારને અંદાજે ₹93,000 કરોડ રૂપિયાની આવકમાં ખોટ થવાની શક્યતા છે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% નો ટેક્સ લાગુ થવાથી અંદાજે ₹45,000 કરોડની વધારાની આવક થઈ શકે છે. તેમ છતાં, રાજ્યોને થનારી ખોટ માટે કોઈ સ્પષ્ટ વળતર યોજનાની જાહેરાત હાલ કરવામાં આવી નથી.

પંજાબના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે રાજ્યોને આવકનું નુકસાન થશે, પરંતુ આ નિર્ણય જનહિતમાં લેવાયો છે અને તેનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચશે. હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ પણ બેઠક બાદ કહ્યું કે, દરેક સભ્ય નવા GST દરોને વધુ ન્યાયસંગત બનાવવામાં સહમત થયો હતો.

ગ્રાહકો માટે રાહત

નવી GST વ્યવસ્થા લાગુ થતા મેડિકલ સપ્લાય, રોજિંદી વપરાશના સામાન, શિક્ષણ સંબંધિત વસ્તુઓ, કોસ્મેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કેટલાક વાહનો સહિત અનેક વસ્તુઓ સસ્તી થઈ જશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકોને આ સુધારા સીધો લાભ આપશે.

 

The post GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/feed/ 0
આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/ https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/#respond Wed, 03 Sep 2025 05:20:08 +0000 https://www.gujaratinside.com/?p=18172 નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ...

The post આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે.

સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રાખવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. આ સાથે કેટલીક ચીજવસ્તુઓ પર ખાસ 40% જીએસટી સ્લેબ લગાવવામાં આવવાની શક્યતા છે. આ સુધારાઓથી દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવોમાં ઘટાડો થશે. વિપક્ષી રાજ્યો આ બદલાવને કારણે આવક નુકસાનેની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે.

ગણિત મુજબ, 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને 5% સ્લેબમાં અને 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓને 18% સ્લેબમાં આવરી લેવામાં આવશે. તેમાંથી ઘી, ડ્રાય ફ્રૂટ, પીવાનું પાણી (20 લિટર), નમકીન, ફૂટવેર, દવાઓ અને મેડિકલ ઉપકરણો 5% સ્લેબમાં આવશે. પેન્સિલ, સાયકલ, છત્રી, હેર પિન જેવા નાના ઉપકરણો પણ 5% સ્લેબમાં સમાવિષ્ટ થવાના છે.

ટેલિવિઝન, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર 28% સ્લેબમાંથી 18% સ્લેબમાં લાવવાની યોજના છે. જ્યારે તમાકુ, પાન મસાલા અને સિગરેટ જેવી વસ્તુઓ પર 40% ખાસ દર લગાવવામાં આવી શકે છે.

પ્રસ્તાવિત સુધારાઓ 1 જુલાઇ, 2017થી લાગુ થયેલા ચાર સ્લેબ (5%, 12%, 18%, 28%)ને બદલવા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સંબોધનમાં જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી. આ સુધારાઓથી સામાન્ય નાગરિકને લાભ મળી શકે છે અને જટિલ ટેક્સ માળખામાં સરળતા આવશે.

The post આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/feed/ 0
RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/ https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/#respond Fri, 29 Aug 2025 12:15:33 +0000 https://www.gujaratinside.com/?p=17691 RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો...

The post RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો છે.

કિસાન સંઘે જણાવ્યું કે, ભારતમાં વાર્ષિક 320 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક માંગ 391 લાખ ગાંસડીની છે. ભારત દર વર્ષે માત્ર 60 થી 70 લાખ ગાંસડી કપાસ આયાત કરે છે, એટલે કે, કુલ કપાસની માત્ર લગભગ 12 ટકા આયાત થાય છે. ભારતીય કિસાન સંઘે ચેતવણી આપી છે કે, આયાત પર મુક્તિ ચાલુ રાખીશું તો ભારત આગામી વર્ષોમાં કપાસનો નિકાસકાર બનવાના બદલે મોટો આયાતકાર દેશ બની જશે.

ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ વર્ષે કપાસના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ 3.2 ટકા ઘટ્યો છે. સ્થાનિક કપાસની ઉપલબ્ધતા વધવા જોઈએ નહીં તો ભારત નિકાસકારને બદલે આયાતકાર બની જશે. કપાસની કિંમત પહેલેથી જ 7000 રૂપિયાથી ઘટીને 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જો આયાત પર કરમુક્તિ ચાલુ રહેશે, તો ભાવ વધુ ઘટી શકે છે. વિદેશથી 2000 રૂપિયાના ભાવમાં કપાસ આવે તો સ્થાનિક કિસાન પાસેથી 5000 રૂપિયામાં કપાસ વેચવું મુશ્કેલ બનશે.

યાદ રહે, નાણામંત્રાલયે અગાઉ 11 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આયાત પર છૂટ આપી હતી, હવે તેને વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી મોહન મિત્રાએ જણાવ્યું કે, સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. આયાત પર સબસિડી ચાલુ રહે તો ભારત કપાસમાં વિદેશી બજાર બની જશે અને સ્થાનિક ઉત્પાદન પાછળ રહી જશે.

 

The post RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/rss-farmers-cotton-import-criticism/feed/ 0
કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/ https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/#respond Tue, 12 Aug 2025 03:28:55 +0000 https://www.gujaratinside.com/?p=16107 નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે. આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર...

The post કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે.

આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર એ થયો છે કે જો કોઇ વ્યક્તિ વિલંબથી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને હવે રિફંડ મળશે અને તેના પર પેનલ્ટી નહીં લેવામાં આવે. અગાઉના ડ્રાફ્ટ બિલમાં વિલંબિત રિટર્ન ફાઈલ કરનારાને રિફંડથી વંચિત કરવાની જોગવાઈ હતી, જે હવે પાછી ખેંચાઈ ગઈ છે.

નવા સુધારામાં ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલન સંબંધિત જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. તેમજ વ્યક્તિગત કરદાતાઓ માટે રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. જૂની ખોટ કેરી ફોરવર્ડ કરવાની તક આપવામાં આવશે અને ટૅક્સ કલમોમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે.

કંપનીઓ વચ્ચે ડિવિડંડ વહેંચણી અંગે કલમ 80(M) પણ સુધારવામાં આવી છે, જેથી હવે કંપનીઓને ઘટાડેલા કોર્પોરેટ ટેક્સ રેટનો લાભ મળવાનો માર્ગ ખૂલી ગયો છે. શૂન્ય વેરા કપાત માટે પ્રમાણપત્ર આપવાની જોગવાઈ પણ નવો ઉમેરાયો છે. વધુમાં, ભૂલથી થયેલા ટેક્સ ભંગ માટે અધિકારીઓ પાસે માફી આપવાની સત્તા રહેશે.

વિપક્ષના હોબાળા વચ્ચે કુલ 9 બિલ પસાર થયા જેમાંથી 4 લોકસભામાં અને 5 રાજ્યસભામાં હતા. તેમાં ઈન્કમટેક્સ બિલ ઉપરાંત નેશનલ સ્પોર્ટ્સ બિલ, નેશનલ એન્ટી ડોપિંગ બિલ, ટેક્સેશન લો એમેન્ડમેન્ટ બિલ અને મણિપુરના સંબંધિત ઘણા બિલોનો સમાવેશ થાય છે.

 

The post કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/feed/ 0