Overflowing Dams Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/overflowing-dams/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 04:46:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Overflowing Dams Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/overflowing-dams/ 32 32 ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/ https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/#respond Wed, 17 Sep 2025 05:25:52 +0000 https://www.gujaratinside.com/?p=19448 અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે.

હાલમાં 12 જળાશયો 80 થી 90 ટકા જળસ્તર વચ્ચે હોવાથી એલર્ટ પર છે, જ્યારે 17 જળાશયો 70 થી 80 ટકા જળસ્તર વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. 70 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા 32 જળાશયો પણ રાજ્યમાં છે.

રીજનલ લેવલ પર જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13 અને દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર હાલમાં 92.47 ટકા જળસ્તર સાથે સંતોષકારક સ્થિતિમાં છે.

રાજ્યના જળસંચય વિભાગ મુજબ સતત વરસાદ અને નદી-નાળામાં આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

 

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/feed/ 0
સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/#respond Wed, 20 Aug 2025 05:14:47 +0000 https://www.gujaratinside.com/?p=16775 સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય અને માણેકવાડા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુવંતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓઝત-2, ઓઝત શાપુર અને ઓઝત વંથલી સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ઓઝત શાપુરના 10 દરવાજા 0.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ અને બાલાપર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે, મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/feed/ 0