#PoliticalNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/politicalnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 29 Aug 2025 11:32:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #PoliticalNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/politicalnews/ 32 32 પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું https://www.gujaratinside.com/2025/08/29/patana-mla-birthday-hoardings-removed-row-chief-officer-face-off/ https://www.gujaratinside.com/2025/08/29/patana-mla-birthday-hoardings-removed-row-chief-officer-face-off/#respond Fri, 29 Aug 2025 10:21:23 +0000 https://www.gujaratinside.com/?p=17677 પાટણમાં રાજકીય ગરમાવો ફરી એકવાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને આવી જતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. માહિતી અનુસાર, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ...

The post પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણમાં રાજકીય ગરમાવો ફરી એકવાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને આવી જતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે.

માહિતી અનુસાર, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશ બાદ આ હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી શરૂ થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

હોર્ડિંગ્સ ઉતારવા સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર ‘ગુંડા’ જેવું વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ચીફ ઓફિસરે પણ વળતો પ્રહાર કર્યો છે.

આ ઘટનાને કારણે પાટણમાં રાજકીય વાતાવરણ તંગ બન્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે.

 

The post પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/patana-mla-birthday-hoardings-removed-row-chief-officer-face-off/feed/ 0
મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/ https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/#respond Mon, 25 Aug 2025 11:13:26 +0000 https://www.gujaratinside.com/?p=17267 લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે...

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભામાં એવા ત્રણ બિલ પસાર થયા છે, જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનામાં 30 દિવસથી વધુ જેલમાં રાખવામાં આવે તો તેમનું પદ પરત લેવા જોગવાઇ કરવામાં આવી છે. આ બિલો પસાર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે બિલ રજૂ થયું ત્યારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે વિરોધ કર્યો હતો, જેના પરિણામે સરકારએ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાનો નિર્ણય કર્યો.

પરંતુ આ બિલને લઈને વિપક્ષમાં મતભેદ ઊભા થયા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો, તો બીજી તરફ કેટલાક સાથી પક્ષો હવે પાછીપાની કરી રહ્યા છે. JPCમાં સામેલ થવા મામલે ત્રાટકેલા આ મતભેદને કારણે ભાજપને રાજકીય ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ JPCમાં પોતાની વાત રજૂ કરવા માંગે છે, જ્યારે TMC અને આમ આદમી પાર્ટીએ તેમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. સમાજવાદી પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગઠબંધન (UBT) પણ પાછળ હટતા જણાઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ સાથી પક્ષોને મનાવવા માટે કવાયત કરી રહી છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, JPC ખૂબ જ મહત્વનું મંચ છે, જ્યાં વિપક્ષો પોતાની વાત રજૂ કરી શકે છે અને રિપોર્ટમાં તેમની વાત સામેલ થશે. કોંગ્રેસ હાલમાં DMK, RJD, JMM અને NCP (SP) સાથે સંપર્ક કરી રહી છે.

20 ઓગસ્ટે લોકસભામાં આ બિલ રજૂ થયું હતું. બિલના વિરોધમાં વિપક્ષે લોકસભાની વેલ સુધી ધસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા, બિલની કોપી ફાડી નાખી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. વિવાદને કારણે સરકારએ બિલને JPCને સોંપવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ બિલ બંધારણના 130મા સંશોધન સાથે જોડાયેલું છે. વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો.

 

The post મંત્રીઓના પદ ખાલી કરાવતાં બિલ પર વિપક્ષમાં મતભેદ, ભાજપને રાજકીય ફાયદો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/bill-to-remove-ministers-opposition-split-bjp-benefits/feed/ 0
રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/ https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/#respond Thu, 21 Aug 2025 15:39:47 +0000 https://www.gujaratinside.com/?p=16903 કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...

The post રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ શકે?”

રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા ભાજપ પર આક્ષેપો કર્યા છે. તેમણે બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે તે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, જ્યારે સરકાર મૂડીવાદીઓના હિત માટે કામ કરી રહી છે. પેપર લીક અને કૌભાંડનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે NEET, SSC સહિતના પેપર લીક કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી બગાડી દીધી છે, છતાં સરકાર ચૂપ છે.

મોંઘવારી વિશે તેઓએ કહ્યું કે ભાવો આસમાને પહોંચ્યા છે અને સામાન્ય માણસ માટે જીવન મુશ્કેલ બન્યું છે, પરંતુ સરકાર સતત ટેક્સ વધારતી રહે છે. તેમણે માળખાકીય નિષ્ફળતાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેમાં ટ્રેન દુર્ઘટનાઓ અને પુલ-રસ્તાઓના ભંગાણથી અનેક જીવ ગયા છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

આતંક અને હિંસાની ઘટનાઓ અંગે તેમણે કહ્યું કે પૂંછથી મણિપુર સુધી સેંકડો લોકોના મોત થયા, પરંતુ સરકારે જવાબદારી લીધી નથી. અંતમાં માનવતાના અભાવ પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે નોટબંધી, કોવિડ મહામારી અને ખેડૂત આંદોલનમાં લાખો લોકોના જીવ ગયા, છતાં વડાપ્રધાને સહાનુભૂતિ પણ બતાવી નથી.

રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે આ સરકાર ‘વોટ ચોરી’ દ્વારા સત્તામાં આવી છે અને હવે લોકોના જીવવા કે પીડાવાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે લોકોને મતાધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી અને એવી સરકાર પસંદ કરવાની વિનંતી કરી જે જનતાની જવાબદેહ હોય.

 

The post રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/rahul-gandhi-slams-bjp-over-vote-rigging-and-governance-failures/feed/ 0
સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/ https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/#respond Fri, 15 Aug 2025 10:11:04 +0000 https://www.gujaratinside.com/?p=16345 મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે.

યાદ રહે કે 5 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્ષો બાદ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જેના કારણે રાજકીય અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ, 27 જુલાઈએ ઉદ્ધવના જન્મદિવસે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચતા રાજકીય ગરમાવો વધુ વધી ગયો હતો. હવે સંજય રાઉતના નિવેદનથી એ અટકળોને વધારે વેગ મળ્યો છે કે ઠાકરે ભાઈઓની ગઠબંધનવાળી રાજકીય લડત નજીક છે.

સ્વતંત્રતા દિવસના પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણ પર પ્રતિભાવ આપતા સંજય રાઉતે કહ્યું કે, “દેશની આજની પ્રગતિ પંડિત નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીના વિઝનના કારણે છે. આજે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ, એ તેમના સપનાનું પરિણામ છે.”

રાઉતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નહેરુવાદ તરફ આગળ વધી રહ્યા છે. “સ્વદેશીનો નારો પણ પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીનું વિઝન છે. આજે તમે તે વિચારો અપનાવી રહ્યા છો. કદાચ થોડા દિવસોમાં ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો,” એમ તેમણે ઉમેર્યું.

 

The post સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/uddhav-raj-thackeray-to-contest-municipal-elections-together/feed/ 0
રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/ https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/#respond Sat, 19 Jul 2025 13:22:55 +0000 https://www.gujaratinside.com/?p=14905 ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે....

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે.

મીરા ભાયંદરમાં એક જાહેર સભામાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો ષડયંત્ર ઘડી રહ્યા છે. તેમણે આચાર્ય અત્રેના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહ્યું કે,

“મને આઘાત લાગ્યો જ્યારે મેં વાંચ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવાની તરફેણમાં પ્રથમ માંગણી કરી હતી.”

આ દાવા પછી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને પાટીદાર નેતાઓ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

મોરારજી દેસાઈ સામે પણ વિવાદિત આરોપ

રાજ ઠાકરેએ વિવાદ આગળ વધારતાં જણાવ્યું કે મોરારજી દેસાઈએ મહારાષ્ટ્રના આંદોલનો દરમિયાન મરાઠી લોકો પર ગોળીબાર કરાવ્યો હતો, જેનાથી અનેક લોકોના મોત નિપજ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે.

અગાઉ પણ ગુજરાત વિરુદ્ધ નિવેદનો

આ પહેલા પણ રાજ ઠાકરે વરલીની સભામાં ગુજરાતીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તમારી પાસે વિધાનસભાની સત્તા હશે, પણ અમારી સત્તા રસ્તા પર છે.” તેમણે જણાવ્યું હતું કે, “મીરા રોડ પર એક વ્યક્તિએ ગુજરાતી વ્યક્તિને થપ્પડ મારી, પરંતુ શું તેની પર લખેલું હતું કે તે ગુજરાતી છે?” રાજ ઠાકરેએ ચેતવણી આપી કે જો કોઇ નાટક કરશે તો “કાનની નીચે બજાવવી પડશે”.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – “હા, અમે ગુંડા જ છીએ”

ફડણવીસના ગુંડાગીરી સંબંધિત નિવેદન પર જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી હોય તો હા, અમે ગુંડા છીએ.” તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પટેલોને ભડકાવી અને તેમના સત્તા લાભ માટે હાંસિયે ધકેલી દેવામાં આવ્યા છે.

નિકર્ષ

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના તાજેતરના નિવેદનો ફરી એકવાર મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની રાજકીય તણાવભરી ભાષા અને અભિવ્યક્તિ પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતા અંગેના વિવાદિત ટિપ્પણીઓ માત્ર ઇતિહાસના ભ્રમિત વિવેચન પૂરતાં સીમિત નથી રહી, પરંતુ તેના કારણે સામાજિક અને રાજકીય તોફાન ઊભું થવાની શક્યતા છે.

The post રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/anger-over-raj-thackerays-controversial-statements-on-sardar-patel-and-gujaratis/feed/ 0
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ https://www.gujaratinside.com/2025/07/19/big-blow-to-aam-aadmi-party-kharar-mla-anmol-gagan-mann-resigns-takes-a-break-from-politics/ https://www.gujaratinside.com/2025/07/19/big-blow-to-aam-aadmi-party-kharar-mla-anmol-gagan-mann-resigns-takes-a-break-from-politics/#respond Sat, 19 Jul 2025 12:52:24 +0000 https://www.gujaratinside.com/?p=14895 આમ આદમી પાર્ટી માટે પંજાબમાંથી એક મોટો રાજકીય ઘટના સામે આવી છે. પંજાબના ખારરના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. અનમોલ ગગન માને તેમના સત્તાવાર ટ્વીટમાં લખ્યું: “મારું હૃદય ભારે છે, પણ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે....

The post આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આમ આદમી પાર્ટી માટે પંજાબમાંથી એક મોટો રાજકીય ઘટના સામે આવી છે. પંજાબના ખારરના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અનમોલ ગગન માને તેમના સત્તાવાર ટ્વીટમાં લખ્યું:

“મારું હૃદય ભારે છે, પણ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય પદ પરથી મારું રાજીનામું સ્પીકરને આપી દીધું છે અને તે સ્વીકારી લેવામાં આવ્યું છે. મારી શુભકામનાઓ હમેશા પાર્ટી સાથે રહેશે. મને આશા છે કે પંજાબ સરકાર જનતાની આશાઓ પર ખરી ઊતરે.”

પંજાબી સંગીતજગતથી રાજકારણ સુધીનો રસપ્રદ સફર

અનમોલ ગગન માન 2020માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ખૂબ ટૂંકા ગાળામાં રાજકારણમાં ઊંચી પદવી સુધી પહોંચ્યા હતા.

  • 2022માં ખારર વિધાનસભા બેઠક પરથી શિરોમણી અકાલી દળના રણજીત સિંહ ગિલને 37,718 મતોથી હરાવીને તેઓ વિધાનસભા માટે ચૂંટાયા હતા.
  • તેઓ પાર્ટીના યુવા ચહેરા તરીકે જાણીતા બન્યા અને વિજય પછી પંજાબ સરકારમાં પર્યટન મંત્રી તરીકે સેવા આપી હતી.
  • અનમોલે પાર્ટી માટે કેમ્પેઇન ગીત પણ તૈયાર કર્યું હતું, જે ખૂબ લોકપ્રિય બન્યું હતું.

ગાયિકા અને મોડેલ તરીકે સ્થાપિત કરેલી ઓળખ

અનમોલનો જન્મ 1990માં પંજાબના માનસા જિલ્લામાં થયો હતો. તેમનો અભ્યાસ ચંદીગઢમાં થયો.

  • તેમણે પહેલા મોડેલિંગ અને ત્યારબાદ પંજાબી સંગીત જગતમાં ગાયિકા તરીકે પોતાનું નામ બનાવ્યું.
  • 2023ના જૂનમાં તેમણે ઍડ્વોકેટ શાહબાઝ સોહી સાથે લગ્ન કર્યા હતા.

અકાલી દળ માટે પણ મોટો ફેરફાર

આ ઘટનાથી એક દિવસ પહેલાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ રણજીત સિંહ ગિલે પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી.

આ એક પછી એક રાજીનામા પંજાબના રાજકારણમાં વધતી અસ્થિરતાની શક્યતા તરફ ઇશારો કરે છે. અનમોલ ગગન માન જેવા યુવા નેતાની રાજકીય વિદાય આમ આદમી પાર્ટી માટે ચોક્કસપણે મોટો આંચકો સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણય પાછળના કારણો શા માટે છે અને આનો આગળના રાજકીય ગણિત પર શું અસર થાય છે.

The post આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/big-blow-to-aam-aadmi-party-kharar-mla-anmol-gagan-mann-resigns-takes-a-break-from-politics/feed/ 0
લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/ https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/#respond Fri, 18 Jul 2025 04:33:07 +0000 https://www.gujaratinside.com/?p=14855 છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે અને તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોના મુદ્દા પર ચર્ચા કરવી હતી. એટલે ‘સાહેબે’ મારા ભિલાઈ નિવાસસ્થાને ED મોકલી દીધી છે.”

કૌભાંડમાં ચોંકાવનારા નાણાંકીય વ્યવહારો

છત્તીસગઢના આ એક્સાઈઝ કૌભાંડની રકમ હાલમાં 2100 કરોડથી વધીને અંદાજે 3200 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. ED અને અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસમાં વ્યસ્ત છે.

આ પહેલાં મંગળવારે (15 જુલાઈ) હોટેલ વ્યવસાયી વિજય અગ્રવાલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગોવા અને દિલ્હી સહિત વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન 70 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. વિજય અગ્રવાલને ભૂપેશ બઘેલનો નિકટવર્તી માનવામાં આવે છે.

રાજકીય આરોપો

વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે થયેલી આ કાર્યવાહી રાજકીય નાણાંકીય દબાણની શક્યતા તરફ ઇશારો કરે છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો છે કે વૃક્ષો કાપવાના મુદ્દાને દબાવવા માટે સરકાર દ્વારા EDને વાપરવામાં આવી રહી છે.

આ કેસ સાથે જોડાયેલી તપાસ ચાલી રહી છે અને EDની આગામી કાર્યવાહી પર તમામ રાજકીય દળોની નજર છે.

The post લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/ed-action-against-ex-cm-bhupesh-baghel-in-the-leaker-scam/feed/ 0
રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/ https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/#respond Tue, 15 Jul 2025 10:44:04 +0000 https://www.gujaratinside.com/?p=14792 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે. શું કહ્યું રાહુલ ગાંધીએ?...

The post રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

રાહુલે લખ્યું, “ચીની વિદેશ મંત્રી આવશે અને મોદીજીને ચીન-ભારત સંબંધોની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરશે! Meanwhile, આપણા વિદેશ મંત્રી ભારતની વિદેશ નીતિને બરબાદ કરવાના હેતુથી એક સંપૂર્ણ સર્કસ ચલાવી રહ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે જયશંકરે શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી શુભેચ્છા પાઠવી હતી. રાહુલનો આ તિખો પ્રહાર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સંબંધોની સ્થિતિ અને સરકારના વલણ પર સવાલ ઉભા કરે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ચીનની મુલાકાત પર છે, જ્યાં તેઓ શંધાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં તેમણે આપણે દ્વિપક્ષીય સંબંધોની હાલની પરિસ્થિતિથી માહિતગાર કર્યા. તેમણે આપના નેતૃત્વને મહત્ત્વ આપ્યું છે.”

જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે પણ બેઠક કરી હતી, જેમાં દ્રષ્ટિવાન, સ્થિર અને રચનાત્મક સંબંધોનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી.

The post રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/15/rahul-gandhi-quips-countrys-foreign-policy-has-been-turned-into-a-circus/feed/ 0
ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/ https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/#respond Thu, 10 Jul 2025 14:43:15 +0000 https://www.gujaratinside.com/?p=14714 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી....

The post ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી. માત્ર કટોકટી એક કાળો અધ્યાય હતી એટલું કહેવું પૂરતું નથી, પણ તેના પાઠોને સંપૂર્ણપણે સમજવાં પણ જરૂરી છે.”

સંજય ગાંધીના નસબંધી અભિયાન પર ઉઠાવ્યા પ્રશ્નો

થરૂરે સ્પષ્ટ જણાવ્યું કે, “ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા બળજબરીથી ચલાવાયેલું નસબંધી અભિયાન એ કટોકટીની ક્રૂરતાનું ઉદાહરણ છે.” તેમણે વધુમાં લખ્યું કે, “ગ્રામીણ વિસ્તારોમાં લક્ષ્યાંક પૂરાં કરવા માટે બળપ્રયોગ થયો હતો, જ્યારે નવી દિલ્હી જેવા શહેરોમાં ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી અને હજારો લોકો બેઘર થયા. તેમનું કોઈ પુનર્વસન કે કલ્યાણ થયું નહીં.”

લોકશાહી મહત્વનું વારસો છે

થરૂરે જણાવ્યું કે, “લોકશાહી એ હળવાશથી લેવાની વસ્તુ નથી. તે એક અમૂલ્ય વારસો છે જેને પોષવામાં અને રક્ષવામાં નાગરિકોની પણ જવાબદારી છે.” તેમણે જણાવ્યું કે, “આજનું ભારત 1975ના ભારત કરતાં વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને મજબૂત લોકશાહી ધરાવતું દેશ છે. છતાં પણ, કટોકટીના પાઠો આજે પણ ચિંતાજનક રીતે લાગુ પડે છે.”

આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે પીએમ મોદી અથવા તેમની નીતિઓ અંગે નરમ અભિગમ અપનાવ્યો હોય. અનેક પ્રસંગોએ તેમણે સરકારની નીતિ અથવા વિકાસલક્ષી પગલાંની પણ વખાણ કરી છે – જેને લઇને કોંગ્રેસમાં આંતરિક ચર્ચા સર્જાતી રહી છે.

The post ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/shashi-tharoor-attacks-his-own-party-congress-over-emergency/feed/ 0