નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને...
Tag: Rajnath Singh
ભારત-મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે MoU પર હસ્તાક્ષર, દેશનું ડિફેન્સ સેક્ટર બનશે વધુ મજબૂત
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મોરોક્કોના સંરક્ષણ મંત્રી અબ્દેલલતીફ લૌધીએ સોમવારે રબાતમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ MoU ભારત અને મોરોક્કો વચ્ચે વધતી ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક સુસંગઠિત માળખું પૂરું પાડશે અને સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, સંયુક્ત કવાયત, લશ્કરી તાલીમ અને...
ભારતે સફળ રીતે IADWSનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રે વધ્યું આત્મવિશ્વાસ
ભારતીય સેના સતત સ્વદેશી ટેકનોલોજી દ્વારા પોતાના રક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. તાજેતરમાં, ભારતીય સેના અને DRDO દ્વારા ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક ઓડિશા તટ પર 23 ઓગસ્ટ 2025ના બપોરે 12:30 વાગ્યે કરવામાં આવ્યું. IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે જમીન પરથી હવામાં લક્ષ્ય પર હુમલો કરનારી...
રાજનાથ સિંહે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના ‘ડમ્પર’ નિવેદન પર કર્યો કટાક્ષ
નવોદિત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરના તાજેતરના નિવેદનો પર કટાક્ષ કર્યો. મુનીરે જણાવ્યું હતું કે “ભારત ફેરારી જેવી મર્સિડીઝની જેમ હાઇવે પર ચાલી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કાંકરીથી ભરેલા ડમ્પર ટ્રક જેવી સ્થિતિમાં છે.” રાજનાથ સિંહે કહ્યું કે આ નિવેદન માત્ર મજાકનો વિષય...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...
અમેરિકા સાથેના રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા હોવાના દાવાને રક્ષા મંત્રાલયે બતાવ્યા ‘ખોટા અને ઘડાયેલા’
ભારતના રક્ષણ મંત્રાલયે એવા તમામ દાવાઓનો ખંડન કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ચાલી રહેલા અથવા આયોજનાધીન રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે આ દાવાઓને “ખોટા અને ઘડાયેલા” ગણાવી દેતા કહ્યું છે કે આવાં કોઈ નિર્ણય લેવાયા નથી. તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના વધતા...
ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓ સહીત અનેક નેતાઓની હાજરી
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દેશમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર આક્ષેપપ્રત્યાઆક્ષેપ થયા. પરંતુ આ તમામ રાજકીય ગરમાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ ભવનમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્ય...






