ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પરથી આધારિત મૂલ્યપ્રધાન પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના પ્રથમ ભાષાના પુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેરાયા છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરી ભારતીય પરંપરાગત જ્ઞાન...
