Social Media Controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-controversy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 12:40:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Social Media Controversy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/social-media-controversy/ 32 32 સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું https://www.gujaratinside.com/2025/09/06/kerala-congress-apology-bihar-controversy/ https://www.gujaratinside.com/2025/09/06/kerala-congress-apology-bihar-controversy/#respond Sat, 06 Sep 2025 13:00:42 +0000 https://www.gujaratinside.com/?p=18599 કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેરળ...

The post સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સની જોસેફે કહ્યું કે, પોસ્ટ કરવામાં ભૂલ અને બેદરકારી થઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે જોયા વગર આ ટિપ્પણી એક્સ પર પોસ્ટ કરી દીધી હતી. પોસ્ટ હટાવી દેવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિએ માફી માંગી લીધી છે. કોંગ્રેસ આ પ્રકારની ટિપ્પણીનું સમર્થન કરતી નથી.”

વિવાદનું પૃષ્ઠભૂમિ એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ GST દરોમાં ફેરફાર કર્યો હતો. કેરળ કોંગ્રેસે આ મુદ્દે કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમાં બિહારને બેદરકારીથી ‘બીડી’ સાથે જોડતા, તે બિહારના લોકોમાં ક્રોધનું કારણ બની. બિહારના રાજકીય નેતાઓ જેમ કે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જદયુ સભ્ય સંજય કુમાર ઝા અને ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કડક પ્રતિસાદ આપ્યો.

પોસ્ટના વિવાદ પછી કોંગ્રેસે તરત પગલાં લીધા, માફી જાહેર કરી અને જવાબદારને પદ છોડવાનું સૂચન કર્યું, જેથી રાજકીય દબાણ અને વિરોધના મૂડને શાંત કરી શકાય.

The post સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/kerala-congress-apology-bihar-controversy/feed/ 0
ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/ https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/#respond Tue, 26 Aug 2025 09:56:34 +0000 https://www.gujaratinside.com/?p=17352 કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની...

The post ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ગુરુવાયુર દેવસ્વોમ સમિતિએ તળાવને અપવિત્ર ગણાવી શુદ્ધિકરણ વિધિ શરૂ કરી.

શુદ્ધિકરણ વિધિમાં છ દિવસ સુધી 18 પૂજાઓ અને 18 શીવેલી (મંદિર પરિક્રમા) થશે. આ દરમિયાન સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. સમિતિએ જણાવ્યું કે મંદિરની પવિત્રતા જાળવવા ભક્તોએ પ્રતિબંધોનું પાલન કરવું જરૂરી છે.

જાસ્મીન જાફરે બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો અને માફી માંગતા જણાવ્યું કે તેમને મંદિરના પ્રતિબંધોની જાણ નહોતી. દેવસ્વોમ પ્રશાસકે મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કોર્ટના નિર્દેશ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવશે.

 

The post ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/guruvayur-temple-non-hindu-vlogger-controversy/feed/ 0