સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...
