Voter List Revision Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-revision/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 10:33:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Voter List Revision Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/voter-list-revision/ 32 32 સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/ https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/#respond Mon, 01 Sep 2025 10:33:48 +0000 https://www.gujaratinside.com/?p=17975 સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી. અરજદારો તરફથી આરોપ મૂકાયો કે ચૂંટણી પંચની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને મોટા પ્રમાણમાં નામ કાઢવાની માંગણી થઈ રહી છે, જ્યારે નામ ઉમેરવાની અરજીઓ બહુ ઓછી છે.

બીજી તરફ, ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે બિહારના લોકો માટે પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી નથી, માત્ર અરજદારો જ અસંતુષ્ટ છે. તેમણે ચેતવણી આપી કે સમયમર્યાદા લંબાવવાથી આખી ચૂંટણી તૈયારીમાં વિક્ષેપ થશે અને પ્રક્રિયા અનંત બની જશે.

છતાં, સુપ્રીમ કોર્ટે અંતે સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો.

 

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/feed/ 0
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/#respond Tue, 22 Jul 2025 08:30:17 +0000 https://www.gujaratinside.com/?p=15076 બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની બંધારણીય જવાબદારીના ભાગરૂપે ફક્ત નકલી મતદારોને દૂર કરવા કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. તેમણે જણાવ્યુ હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને દેશભરમાં નકલી રાશન કાર્ડોની સંખ્યા મોટી છે, જે પાત્રતાની ખાતરી માટે અવિશ્વસનીય બને છે.

પંચે વધુમાં કહ્યું કે પાત્રતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડનો સમાવેશ ખાસ કરીને નકલી દસ્તાવેજોની સંખ્યાને કારણે કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કોઇ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દૂર થવા છતાં નાગરિકતા ગુમાવવાનો ભય રહેતો નથી.

સોગંદનામામાં ચૂંટણી પંચે એવી ખાતરી પણ આપી છે કે SIR (Special Summary Revision) પ્રક્રિયામાં કાયદાનું ઉલ્લંઘન થયો નથી અને કોઈના મૌલિક અધિકારોનું ભંગ કરાયું નથી.


 

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/feed/ 0